________________
એક ગુજરાતી કવિની પંક્તિઓ ભાષાના સંદર્ભમાં દરેક ગુજરાતીએ ખાસ મમળાવવા જેવી છે. કોકના તે વેણને વીણી વીણીને વીરા,
ઉછી-ઉધાર ન કરીએ; હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમતી કરીએ ! કોયલ તો કોઈનો ટહુકો ન માગે,
ને મોરલો કોઈની કેકા; માનવીનું કાળજું આ કેવું ઘડ્યું,
પીડ પોતાની, પારકાં લહેકાં! રૂડારૂપાળા સઢ કો'કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ! ઉછી-ઉધાર ન કરીએ...
“માતૃભાષા અને રાષ્ટ્રભાષા એ આપણી બે આંખો છે. તમારે જો ત્રિનેત્ર બનવું હોય તો સંસ્કૃત ભણવું પડે. પછી પણ તમે બીજી ભાષાઓના ચશ્મા પહેરી શકો.
ટૂંકમાં આંખનું સ્થાન ચમા ન જ લઈ શકે. આંખ દ્વારા જે દષ્ટિ મળી છે તેમાં ઉમેરો કરવા જરૂર ચશ્મા વાપરી શકાય, પરંતુ આંખના ભોગે ચશ્માનું જતન ન કરી
શકાય.”
| વિનોબા ભાવેના ઉપરોક્ત વિધાનો વાંચ્યા પછી એ કબૂલાત કરવાની આપણી હિંમત ચાલશે, કે.
“આપણે ગુજરાતીઓ આંખની નિકાસ કરીને ચશ્માની આયાત કરી રહ્યા છીએ ?
Salle
de ses
ભવ્ય ભાષા માતૃભાષા