________________
અમારી પ્રતિક્રમણ નામની ધાર્મિક વિધિમાં ધાર્મિક સૂત્રો બોલવા હોય તો શ્રાવકે ગુરુ ભગવંતની અનુમતિ માંગવાની હોય છે અને ગુરુ ભગવંત અનુમતિ આપે એટલે ‘તહત્તિ” બોલી તે અનુમતિનો સ્વીકાર કરવાની પરંપરા છે.
એક વાર પ્રતિક્રમણમાં એક કિશોરે એક સૂત્ર બોલવાની અનુમતિ માંગી. “સર, મને આદેશ આપો.” “બોલજો” કહીને અમે તેને અનુમતિ આપી. તરત સામેથી પ્રત્યુતર મળ્યો : થેન્ક યુ સર.” અંગ્રેજી ભાષાના આક્રમણથી ક્યું ક્ષેત્ર બચ્યું હશે ?
તાજેતરમાં જ યુનેસ્કોએ પ્રકાશિત કરેલા એક અહેવાલમાં જણાવ્યું કે, વિશ્વમાં નાશ પામવાના આરે આવીને ઊભેલી ભાષાઓની ભૂમિમાં ભારત પ્રથમ ક્રમાંકે છે. ભારતની ૨૦૦ ભાષા મૃત્યુ તરફ ધસી રહી છે. વિશ્વમાં કુલ ૬૯૦૦ જેટલી ભાષાઓનું અસ્તિત્વ મનાય છે. તેમાંથી ૫૦ ટકા ભાષાઓ એવી છે. જેને બોલનાર કે સમજનારની સંખ્યા પૂરી દસ હજાર પણ નથી. ૨૫ ટકા ભાષા એવી છે, જેને જાણનારની સંખ્યા એક હજારથી પણ ઓછી છે. કરેમ નામની ભાષા બોલનારા માત્ર બે જ વ્યક્તિ અત્યારે જીવંત છે. તે બન્ને એકબીજાથી ૬ કિ.મી.ના અંતરે વસે છે. બન્નેને મળવાનું ભાગ્યે જ બને છે.
૨૮/૧/૨૦૧૦ના દિવસે ભારત-શાસિત આંદામાન ટાપુ ઉપર શ્રીમતિ બોવા નામની એક મહિલાનું અવસાન થયું. તેની સાથે બીજા એક અસ્તિત્વનું પણ ગોઝારું અવસાન થયું, તે હતી બો” ભાષા બો ભાષા જાણનાર-બોલનાર આ છેલ્લી વ્યક્તિ હતી. ભાષામૃત્યુની આ દુઃખદ ઘટના બની તેના ચાર જ મહિના પૂર્વે તે જ આંદામાન ટાપુ ઉપર જ બીજી એક ભાષાનું અવસાન થયું હતું - તે હતી ‘અકાકોરા ભાષા...
છેલ્લાંડચકાં લઈ રહેલીકેરમ જેવી ભાષાઓ કદાચ આપણી માતૃભાષા ગુજરાતીને કહી રહી છે:
અમ વીતી તુમ વીતશે, ધીરી બાપુડિયા !
૩૬]
૩૬
ભવ્ય ભાષા માતૃભાષા