________________
પાંચસો મુનિવરોના ત્રીજા વૃન્દને સમવસરણમાં બિરાજમાન પ્રભુને જોઈને કેવળજ્ઞાન.
અતિશયોની ઋદ્ધિનું દર્શન પ્રભુની આન્તરિક ગુણસંપદાના દર્શનમાં પરિણમ્યું. જિનગુણ દર્શન વડે જિનગુણ સ્પર્શન અને તેના વડે જિનગુણાનુભૂતિ - નિજગુણાનુભૂતિ.
મરુદેવા માતાને કેવળજ્ઞાન પ્રભુના અતિશય ઋદ્ધિ જન્ય પ્રમોદભાવ વડે પ્રારંભાયેલ જિનગુણ દર્શનાદિ વડે નિજગુણાનુભૂતિ દ્વારા થયું છે.'
પાંચસો મુનિવરોને પ્રભુના મુખકમલ પર પ્રશમરસનું દર્શન થયું. એ પ્રશમરસ પોતાની ભીતર પણ છે એવો ખ્યાલ સદ્ગુરુકૃપા વડે મળ્યો. અને પોતાની ભીતર રહેલ એ ગુણનું સ્પર્શન થયું. સ્પર્શન અનુભૂતિમાં ફેરવાયું.
10]
સદ્ગુરુ કઈ રીતે કાર્ય કરે છે શિષ્યવૃન્દ પર એનું આ એક અદ્ભુત નિદર્શન છે.
સંસાર અને મોક્ષની વ્યાખ્યા આપણે જોતા હતા : “ક્લેશ વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” આવી એક બીજી વ્યાખ્યા સંસાર અને મોક્ષની અધ્યાત્મોપનિષદ્ ગ્રન્થમાં અપાઈ છે : “દ્રષ્ટાત્મતા મુજી - ટૂંઠ્યાર્ચ મવમગ્ર: ' દ્રષ્ટાનું દર્શનની પળોમાં એકાકાર થવું તે મુક્તિ. (દર્શન રૂપ સ્વગુણની અનુભૂતિની એકાત્મતા તે મુક્તિ. મુક્તિનું
१. साऽपश्यत् तीर्थकृल्लक्ष्मी, सूनोरतिशयान्वीताम् ।
तस्यास्तदर्शनानन्दात्, तन्मयत्वमजायत ।। साऽऽरुह्य क्षपकश्रेणि-मपूर्वकरणक्रमात् । क्षीणाष्टकर्मा 'युगपत् केवलज्ञान' मासदत् ।।
-ત્રિષ્ટિ પર્વ , પત્તો. ૧૨૮-૬.
૯૦
પ્રગટ્યો પૂરન રાગ