SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચસો મુનિવરોના ત્રીજા વૃન્દને સમવસરણમાં બિરાજમાન પ્રભુને જોઈને કેવળજ્ઞાન. અતિશયોની ઋદ્ધિનું દર્શન પ્રભુની આન્તરિક ગુણસંપદાના દર્શનમાં પરિણમ્યું. જિનગુણ દર્શન વડે જિનગુણ સ્પર્શન અને તેના વડે જિનગુણાનુભૂતિ - નિજગુણાનુભૂતિ. મરુદેવા માતાને કેવળજ્ઞાન પ્રભુના અતિશય ઋદ્ધિ જન્ય પ્રમોદભાવ વડે પ્રારંભાયેલ જિનગુણ દર્શનાદિ વડે નિજગુણાનુભૂતિ દ્વારા થયું છે.' પાંચસો મુનિવરોને પ્રભુના મુખકમલ પર પ્રશમરસનું દર્શન થયું. એ પ્રશમરસ પોતાની ભીતર પણ છે એવો ખ્યાલ સદ્ગુરુકૃપા વડે મળ્યો. અને પોતાની ભીતર રહેલ એ ગુણનું સ્પર્શન થયું. સ્પર્શન અનુભૂતિમાં ફેરવાયું. 10] સદ્ગુરુ કઈ રીતે કાર્ય કરે છે શિષ્યવૃન્દ પર એનું આ એક અદ્ભુત નિદર્શન છે. સંસાર અને મોક્ષની વ્યાખ્યા આપણે જોતા હતા : “ક્લેશ વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” આવી એક બીજી વ્યાખ્યા સંસાર અને મોક્ષની અધ્યાત્મોપનિષદ્ ગ્રન્થમાં અપાઈ છે : “દ્રષ્ટાત્મતા મુજી - ટૂંઠ્યાર્ચ મવમગ્ર: ' દ્રષ્ટાનું દર્શનની પળોમાં એકાકાર થવું તે મુક્તિ. (દર્શન રૂપ સ્વગુણની અનુભૂતિની એકાત્મતા તે મુક્તિ. મુક્તિનું १. साऽपश्यत् तीर्थकृल्लक्ष्मी, सूनोरतिशयान्वीताम् । तस्यास्तदर्शनानन्दात्, तन्मयत्वमजायत ।। साऽऽरुह्य क्षपकश्रेणि-मपूर्वकरणक्रमात् । क्षीणाष्टकर्मा 'युगपत् केवलज्ञान' मासदत् ।। -ત્રિષ્ટિ પર્વ , પત્તો. ૧૨૮-૬. ૯૦ પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy