SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય-કિરણોને પકડીને ગૌતમસ્વામી મહારાજ અષ્ટાપદ પર ચડેલા. સૂર્યનો એક અર્થ આત્મા થાય છે. એટલે આત્મજ્ઞાનનાં, આત્માનુભૂતિનાં કિરણોને પકડીને સાધક આ ભીતરી અષ્ટાપદ પર ચઢે છે. વળતાં, ગૌતમસ્વામી મહારાજ ૧૫૦૦ તપસ્વીઓને દીક્ષા આપે છે. પારણું પોતે એક નાની પાતરીમાં દૂધ, ખાંડ, ચોખાની ખીર વડે કરાવે. પારણું કરતાં ૫૦૦ને કેવળજ્ઞાન. ત્યાંથી વિહાર કરતાં, ‘ચાલો ! પ્રભુ પાસે !' એમ કહી ગૌતમસ્વામીજી ચાલે. બીજા પાંચસોને પ્રભુનું ઐશ્વર્ય, પ્રભુનો મહિમા સાંભળતાં કેવળજ્ઞાન. ત્રીજી પાંચસો મુનિવરોની ટુકડીને પ્રભુનું સમવસરણ જોતાં કેવળજ્ઞાન. સદ્ગુરુ શિષ્યવૃન્દ પર કઈ રીતે કામ કરે છે તેનો ચિતાર આપણને આ ઘટનામાંથી મળશે. ખીર એટલે મધુરતા. સમભાવને અત્યન્ત મધુર કહેવાયો છે, કમિ ભત્તે !' સૂત્ર દ્વારા શક્તિપાત કરીને સદ્ગુરુએ સામાયિકની સમભાવની ઊંડાઈ સ્પર્શાવી. : ભગવતી સૂત્ર કહે છે ઃ નિર્મળ આત્મદશા તે જ સામાયિક. ‘આયા સામાÇ...' સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ વાતને આ રીતે ગૂંથે છે : ભગવઇ અંગે ભાખિયો, સામાયિક અર્થ; સામાયિક પણ આતમા, ધરો સુધો અર્થ... (૨૫) તો, ભગવાન ગૌતમ સ્વામીજીએ સમભાવનો સ્પર્શ કરાવ્યો. અને સમભાવની - આત્મગુણાનુભૂતિની ઊંડી ધારામાં ક્ષપકશ્રેણિ પર ચઢી તે સાધકો કૈવલ્યને વર્યા. ८८ ON પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy