SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવનાની ચોથી કડી ૧ વર્ષાબુન્દ સમુન્દ સમાની સંસાર અને મોક્ષની સરળ વ્યાખ્યા મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે આપી : ક્લેશ વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર... મનમાં રાગ, દ્વેષ અને અહંકારનું તોફાન ઘનીભૂત રીતે હોવું તે સંસાર. એ ન હોય તે સ્થિતિ તે મોક્ષ. મોહનીય આદિ કર્મોના વિલય વડે મુક્તિની આ ભોમકા મળે. આ થઈ સિદ્ધાવસ્થાની વાત. સાધકના અંદાજમાં આ વાતને ઢાળતાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે કહ્યું (અષ્ટ પ્રવચન માતાની સક્ઝાયમાં) : મોહ ઉદયે અમોહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે... મોહનો ઉદય ચાલતો હોય અને મુનિ હોય નિર્મોહી. એ વખતે ઉદયાધીન સ્થિતિમાં તેઓ નથી. ઉદય કર્મનો ચાલ્યા કરે, સાધક એમાં ભળે નહિ. તો સાધક ક્લેશોને પાર ! - જીવન્મુક્ત દશાના વર્ણનમાં આવે છે : “ના પ્રત્યાત્મનિ તે નિત્યમ્...' આત્મભાવમાં સતત જાગૃત હોય છે જીવન્મુક્ત સાધક. બની શકે કે અશાતા વેદનીયનો ઉદય ચાલી રહ્યો હોય, પણ એ તો શરીરના સ્તર પર. સાધકની આન્તર દશા તો આથી બિલકુલ અલિપ્ત છે.
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy