SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વૈભાવિક દુનિયામાં નથી જ જવું: ‘પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે.” પુદ્ગલો સાથે રાગ-દ્વેષના લયમાં જો હું જોડાઈશ તો કર્મબન્ધ થશે અને બાકભાવ – પરભાવ કર્તૃત્વ, સ્વગુણરોધકતા અને જ્ઞાનાદિ ગુણોની વિપરીતતા - વધે છે, જે બાહ્ય છે. મારે તો મારા આત્તર સ્વરૂપને જ પુષ્ટ કરવું છે. સદ્ગુરુ આપણા આત્તર સ્વરૂપ જોડે આપણને કઈ રીતે સમ્બદ્ધ કરી શકે છે એની મઝાની કેફિયત શ્રી બાબુભાઈ કડીવાળાએ તેમના દ્વારા રચિત એક પદમાં આપેલ છે. પદનો ઉઘાડ આ રીતે થાય છે : “ઐસા સિદ્દસ દિઓ ગુમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉ મેં..” ચિસ. પરમરસ. જેને માટે પૂ. આનન્દઘનજી મહારાજ કહે છે : સગરા હોય સો ભરભર પીવે, નગરા જાયે પ્યાસા....” સગરો. ગુસમર્પિત વ્યક્તિત્વ. જે પોતે ન રહ્યો, સદ્ગમાં ભળી ગયો તે સગરો. ‘વન પ્લસ વન ઇક્વલ ટુ વન.' આ સગરાને પ્યાલાના પ્યાલા ભરી ચિદૂસ પીવા મળે છે. શું કરે આ ચિદ્રસ ? પરમાત્મા સાથે અભેદાનુભૂતિ કરાવે. સ્વગુણની ધારામાં એક સાધક વહે છે, તો એની ભીતર ક્ષમાગુણનું એક ઝરણું પ્રગટ્ય... પ્રભુ છે ક્ષમાગુણના સમન્દર, સાધક છે ક્ષમાગુણનું ઝરણું. હવે ઝરણું સમન્દરમાં મળે, ભળે... થયો અભેદાનુભવ. ७४ પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy