SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બાકી હતાં ને, ચોથી બહેનપણીને થયું કે આ ત્રણે બોલી ગઈ; પણ પોતે કેવી મક્કમ રહી.. પછી - એય આખરે તો આ જ નાતની હતીને ! પોતાની વાત પોતાના મનમાં એ ન રાખી શકી. એ છેલ્લા કોળિયે બોલી ગઈ, એઠા મોઢે : તમે ત્રણે બોલ્યા.... હું કંઈ બોલી ? બોલ્યું નહિ, બોળ્યું ! ૧૦૦ રૂપિયાનું ઇનામ હાથમાં આવતાં આવતાં ગયું. શબ્દોની પાછળ છે એષણા : અહમૂના વિસ્તારની. આખરે, સામાન્ય મનુષ્યોના કૃતિત્વની પાછળ પણ શું હોય છે ? " જે વચન અહંકાર આદિ દ્વારા કર્મબન્ધ તરફ લઈ જાય તેને કહેવાય વચનાશ્રવ. આને પલટાવવા માટે મુનિ કરશે સ્વાધ્યાય. વચનાથવ પલટાવવા, મુનિ સાથે સ્વાધ્યાય...” સ્વાધ્યાય. પરમાત્માના પ્યારા, પ્યારા શબ્દોનું અહોભાવ પૂર્વક વાચન, શ્રવણ. અહંકારનું સ્થાન અહોભાવે લીધું. અશુભમાંથી શુભના મુકામે યાત્રા પહોંચી. હવે ? બોલવાનું જ બંધ થઈ જાય અને સાધક સ્વની અનુભૂતિમાં સરી પડે. શુદ્ધના પ્રદેશની યાત્રા શરૂ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા બ્રાહ્મણો જમવા ભેગા થયા હોય અને પતરાળામાં લાડુ-દાળ પીરસાતા હોય ત્યારે અવાજ-અવાજ હોય ૭૦ પ્રગટ્યો પૂરના રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy