SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી સામે રહેલ એક મિનિટને તમે ઉદાસીનભાવ વડે ભરી દો છો ત્યારે એના પછીની આવનારી મિનિટ એવી જ હશે. એના પછીની ક્ષણ પણ એની ફોટોકૉપી જેવી ! એક ક્ષણની સાધના તમારા જીવનને સાધનાના રંગે રંગી દે. મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ સાધના દ્વારા પોતામાં ઊતરવાની એક મોહક પદ્ધતિ બતાવે છે : સહજ શક્તિ ઓર ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે; ગુણ પર્યાય દ્રવ્ય હું અપને, તો લય કેઈ લગાવે. સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયમાં જ રહેવું છે. એકવાર સ્વનો આનન્દ અનુભવ્યા પછી પર છૂટી જાય છે. પણ સ્વાનુભૂતિ મેળવવી શી રીતે ? મઝાનો માર્ગ બતાવ્યો : ‘સહજ શક્તિ ઓર ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે..” એ માટે જરૂરી છે એક યોગ. એક સંબંધ. સહજ શક્તિ + સદ્ગુરુ ભક્તિ = સ્વમાં લય. સહજ શક્તિ. આપણી આત્મશક્તિ સ્વ તરફ જ ક્રિયાશીલ બને તેમ છે. પર તરફ તો વ્યક્તિ પોતાના વૈભાવિક રસને કારણે લઈ જાય છે. પૂ. દેવચન્દ્રજી મહારાજ “અષ્ટપ્રવચન માતાની સક્ઝાયમાં કહે છે : વીર્ય સહાયી રે આતમ ધર્મનો, અચલ સહજ અપ્રયાસોજી; તે પરભાવે સહાયી કેમ કરે, મુનિવર ગુણ આવાસોજી. પ્રગટ્યો પૂરન રાગ ૬૬
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy