SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા પક્ષે એવું બને કે વિકલ્પો જાય નહિ. મનને ટેવ પડેલી છે, એટલે વિકલ્પો આવ્યા કરે; પણ અણગમતા મહેમાનની પેઠે એની નોંધ ન લેવાય એવું તો બની શકે જ. તમે છો ચિદાકાશમાં. વિકલ્પો છે ચિત્તાકાશમાં. એ હોય તોય તમને શું ? તમે તમારા ચિદાકાશમાં રહોને ! મૂળ તો, વિચારો જોડેની સાંઠગાંઠ આપણને નડે છેઃ મારા વિચારો. વિચારોને લાગેલું આ વિશેષણ (મારા) ખેરવી નાખો. હવે જુઓ, વિચારો નડે છે ? ત્રીજું ચરણ : નિર્મોહલ્વે નિશ્ચલતત્ત્વમ્... અસંગ અને અમોહ પછીની ભૂમિકા છે સ્વ-રૂપની અનુભૂતિ. ‘નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વમ્.’ પરમાં ‘હું’પણાની બુદ્ધિ હતી, એ જ તો અવરોધક હતી. એ ગઈ એટલે હવે સ્વરૂપમાં જ સ્થિતિ. નિશ્ચલતત્ત્વ. ચૈતન્યદશા. એનો સ્પર્શ. પૂજ્ય આનન્દઘનજી મહારાજના ગાનમાં આપણેય સાદ પૂરાવીએ : ‘અબ હમ અમર ભયે, ન મરેંગે...’ " ‘મર્યો અનન્તકાલ તે પ્રાણી, સો હમ કાલ હરેંગે...' જે કાળે શરીરનાં પરિવર્તનો દ્વારા મરણશીલતાનો આભાસ કરાવેલ, એ કાળને જ રવાના કરી દઈશું ! હવે મૃત્યુ ક્યાં છે ? ‘નૈનં છિન્દ્રન્તિ શસ્ત્રાળિ, નૈનં વૃતિ પાવ.....' શસ્ત્રો એને છેદી ન શકે. અગ્નિ એને પ્રજાળી ન શકે. ‘ન હન્યતે હૈંચમાને શરીરે...' કવિ રાજેન્દ્ર શાહ એ ચૈતન્ય તત્ત્વનું મિલન થતાં ભીતર રચાતી સ્થિતિનો અંદાજ આપે છે : રઢ જેની અન્તરે `રહી, એનું થતાં મિલન; લેશ અભાવ ક્યાંય ના, પ્રગટ્યો પૂરન રાગ ૬૧
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy