________________
આપણા પક્ષે એવું બને કે વિકલ્પો જાય નહિ. મનને ટેવ પડેલી છે, એટલે વિકલ્પો આવ્યા કરે; પણ અણગમતા મહેમાનની પેઠે એની નોંધ ન લેવાય એવું તો બની શકે જ.
તમે છો ચિદાકાશમાં. વિકલ્પો છે ચિત્તાકાશમાં. એ હોય તોય તમને શું ? તમે તમારા ચિદાકાશમાં રહોને !
મૂળ તો, વિચારો જોડેની સાંઠગાંઠ આપણને નડે છેઃ મારા વિચારો. વિચારોને લાગેલું આ વિશેષણ (મારા) ખેરવી નાખો. હવે જુઓ, વિચારો નડે છે ?
ત્રીજું ચરણ : નિર્મોહલ્વે નિશ્ચલતત્ત્વમ્... અસંગ અને અમોહ પછીની ભૂમિકા છે સ્વ-રૂપની અનુભૂતિ. ‘નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વમ્.’ પરમાં ‘હું’પણાની બુદ્ધિ હતી, એ જ તો અવરોધક હતી. એ ગઈ એટલે હવે સ્વરૂપમાં જ સ્થિતિ.
નિશ્ચલતત્ત્વ. ચૈતન્યદશા. એનો સ્પર્શ. પૂજ્ય આનન્દઘનજી મહારાજના ગાનમાં આપણેય સાદ પૂરાવીએ : ‘અબ હમ અમર ભયે, ન મરેંગે...’
"
‘મર્યો અનન્તકાલ તે પ્રાણી, સો હમ કાલ હરેંગે...' જે કાળે શરીરનાં પરિવર્તનો દ્વારા મરણશીલતાનો આભાસ કરાવેલ, એ કાળને જ રવાના કરી દઈશું ! હવે મૃત્યુ ક્યાં છે ? ‘નૈનં છિન્દ્રન્તિ શસ્ત્રાળિ, નૈનં વૃતિ પાવ.....' શસ્ત્રો એને છેદી ન શકે. અગ્નિ એને પ્રજાળી ન શકે. ‘ન હન્યતે હૈંચમાને શરીરે...'
કવિ રાજેન્દ્ર શાહ એ ચૈતન્ય તત્ત્વનું મિલન થતાં ભીતર રચાતી સ્થિતિનો અંદાજ આપે છે :
રઢ જેની અન્તરે `રહી, એનું થતાં મિલન; લેશ અભાવ ક્યાંય ના,
પ્રગટ્યો પૂરન રાગ
૬૧