SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મૌનની મહેફિલ અનેરી હોય છે, હું જ શાયર, હું જ શ્રોતા હોઉં છું. ...નાદરૂપે હું પ્રગટતો હોઉં છું, હું જ વીણા, તાર પણ હું હોઉં છું. ડૂબવા-તરવા વિશે ક્યાં ભેદ છે ? હું જ હોડી, હું સમંદર હોઉં છું.. સત્સંગથી અસંગ દશા. સજ્જનોનો સંગ એટલે ગુણોનો સંગ. એથી પોતાની ભીતર રહેલ . ગુણોનો ખ્યાલ આવે. અને સંગ થાય. બીજાની સાથે રહેવું તે સંગદશા. પોતાના ગુણોના સંગમાં રહેવું તે અસંગ દશા. બીજું ચરણ : “નિ:સત્વે નિત્વમ્'. સંગ નથી, તો મોહ ક્યાંથી થશે ? શેનો થશે ? તમે છો તમારા ગુણોના આસ્વાદમાં. અહીં છે આનન્દ જ આનન્દ. મોહ એટલે શું ? પદાર્થો કે વ્યક્તિઓ આદિના સંગ વડે ઊપજેલી સુખ-દુઃખની કલ્પનાઓ, વિકલ્પો. નિર્મોહ દશામાં નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર તમે તમારા આનન્દને હાથવગો કરવાની યાત્રા પ્રારંભો છો. કમ સે કમ, વિકલ્પો સાવ નકામા છે, આવો સ્વીકાર ભીતર થાય તો એ યાત્રાનું પ્રારંભબિન્દુ બની શકે. કાંટાથી કાંટો નીકળે એ રીતે વિકલ્પોથી વિકલ્પો નીકળી શકે. વિકલ્પો નકામા છે' આ પણ એક વિકલ્પ જ છે, પણ એ વિકલ્પ જો સુદઢ હશે તો એ બીજા વિકલ્પોને કાઢી શકશે અને પછી એ પોતેય જતો રહેશે. કાંટાને કાઢ્યા પછી પોતાના હાથમાં કાંટો રાખીને કોઈ ફરતું નથી. આ કાંટો સાધન હતું, પેલા કાંટાને કાઢવા માટે. સાધ્ય મળી ગયું. હવે સાધન જતું રહેશે. ૬૦ પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy