________________
અહીં સંગનો અર્થ છે સમર્પિત અને એટલે જ નિર્મળ ચિત્તવૃત્તિની પૃષ્ઠભૂ પર પડેલ પ્રભુગુણોનું પ્રતિબિમ્બ.
સમર્પણની ભૂમિકા મનને દર્પણ જેવું નિર્મળ બનાવે છે. સમર્પણ આવ્યું. વિકલ્પો ગયા. મનની સપાટી સ્વચ્છ. ત્યાં પડે પ્રભુગુણનું પ્રતિબિમ્બન.
ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનદ અનન્હો જી...' સમર્પણની ભૂમિકા આવી. પરમાત્માની વીતરાગ દશા ગમી ગઈ. એનું પ્રતિબિમ્બન ભીતર પડ્યું. રાગદશા છું!
શુભમાંથી શુદ્ધ ભણીની યાત્રા શરૂ થઈ. અને નિજ સ્વરૂપની પ્રાપ્તિ . થઈ. આનન્દ જ આનન્દ.
‘ઉત્તમસંગે.”
આદ્ય શંકરાચાર્યે સત્સંગ કઈ રીતે જીવન્મુક્ત દશા તરફ દોરી જાય છે એની વાત કરી છે :
सत्सङ्गत्वे निःसङ्गत्वम् । निःसङ्गत्वे निर्मोहत्वम् । निर्मोहत्वे निश्चलतत्त्वम् । निश्चलतत्त्वे जीवन्मुक्तिः।
પહેલું ચરણ : સત્સંગથી અસંગ દશા. સંતોનો સંગ જેમ ગમશે, તેમ પદાર્થોનો અને વ્યક્તિઓનો સંગ છૂટશે. અનિવાર્યપણે કરવો પડે એટલો સંગ થયા કરે, પણ એમાં રસવૃત્તિ ન હોય. દેહમાં રહેવા છતાં દેહાધ્યાસ પણ નહિ હોય ને !
ઉત્તરાધ્યયન સૂત્રે કહ્યું છે : “સિદ્ સિદહિં, તોસપોર્દિ વિમુe fમg'. જ્યાં જ્યાં સ્નેહ થઈ શકે તેમ હોય ત્યાં અને આ શ્રમણનું સૂત્ર છે, જેના દ્વારા તે દોષોના સમૂહથી મુક્ત બને છે.
૫૮
પ્રગટ્યો પૂરન રાગ