SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શુભની - ગુણરાગની/પ્રશસ્તરાગની એક આધારશિલા તેમને મળી. આપણને દરેકને પણ આ ભૂમિકા મળે. પોષણ”. શુભ ભાવની ધારામાં લાવ્યા પછી પ્રભુ એમાં વેગ લાવે છે. શુભમાં આવેલ વેગ તે જ પોષણ. અહીં વેગનો અર્થ છે ઉત્સાહ. યાદ આવે પૂજ્ય આનન્દઘનજી મહારાજ : “દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે. દોડ....” મનના વેગે – ઉત્સાહ વડે સાધના માર્ગે દોડવાનું. શું થાય છે અહીં ? થોડીક સાધના થાય છે અને હૃદયમાં એવો આનન્દ છલકાય છે કે એ આનન્દ સાધનામાર્ગમાં આગળ જવાના ઉત્સાહને વધારી મૂકે છે. યાદ આવે આપણા યુગના સાધક-શ્રેષ્ઠ શ્રી ઋષભદાસજી. સાધનાના દિવ્ય આનન્દને વર્ણવતાં તેમણે કહેલ કે એક “ખમાસમણ” આપું છું અને એવો તો આનન્દ ભીતર છલકાય છે કે હૃદયનું નાજુક તન્ન એ આનન્દના આવેગને સહી શકશે કે કેમ એની વિમાસણ થાય. પોષણ. શુભમાં આવેલ વેગ... આ વેગ શુદ્ધમાં જવાનું કારણ બની રહે છે. તારણો'. પ્રભુ શુભમાં વેગ આપીને સાધકને શુદ્ધમાં લઈ જાય. શુદ્ધ. સ્વગુણાનુભૂતિ. શુકલધ્યાનની ધારા. અને ભવસાગરને તરી જવાનો. પ્રગટ્યો પૂરવ રાગ ૫૫
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy