________________
શુભની - ગુણરાગની/પ્રશસ્તરાગની એક આધારશિલા તેમને મળી. આપણને દરેકને પણ આ ભૂમિકા મળે.
પોષણ”.
શુભ ભાવની ધારામાં લાવ્યા પછી પ્રભુ એમાં વેગ લાવે છે. શુભમાં આવેલ વેગ તે જ પોષણ.
અહીં વેગનો અર્થ છે ઉત્સાહ. યાદ આવે પૂજ્ય આનન્દઘનજી મહારાજ : “દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે. દોડ....”
મનના વેગે – ઉત્સાહ વડે સાધના માર્ગે દોડવાનું. શું થાય છે અહીં ?
થોડીક સાધના થાય છે અને હૃદયમાં એવો આનન્દ છલકાય છે કે એ આનન્દ સાધનામાર્ગમાં આગળ જવાના ઉત્સાહને વધારી મૂકે છે.
યાદ આવે આપણા યુગના સાધક-શ્રેષ્ઠ શ્રી ઋષભદાસજી. સાધનાના દિવ્ય આનન્દને વર્ણવતાં તેમણે કહેલ કે એક “ખમાસમણ” આપું છું અને એવો તો આનન્દ ભીતર છલકાય છે કે હૃદયનું નાજુક તન્ન એ આનન્દના આવેગને સહી શકશે કે કેમ એની વિમાસણ થાય.
પોષણ. શુભમાં આવેલ વેગ... આ વેગ શુદ્ધમાં જવાનું કારણ બની રહે છે.
તારણો'. પ્રભુ શુભમાં વેગ આપીને સાધકને શુદ્ધમાં લઈ જાય.
શુદ્ધ. સ્વગુણાનુભૂતિ. શુકલધ્યાનની ધારા. અને ભવસાગરને તરી જવાનો. પ્રગટ્યો પૂરવ રાગ
૫૫