________________
તું કદાચ ચિત્તને પ્રભુમાં ન મૂકી શકે તો તેના માટેનો અભ્યાસ કર!
ચિત્તધૈર્યના અભ્યાસ માટે પતંજલિ ઋષિએ બે ચરણો આપ્યાં છે : વૈરાગ્ય, અભ્યાસ. પ્રભુ સિવાયનાં તત્ત્વો - અપરમ તત્ત્વો વિષે અનાસ્થા, અશ્રદ્ધા તે વૈરાગ્ય. અને પરમ તત્ત્વની બાજુએ જવા માટે વેગ પકડવો તે છે અભ્યાસ.
વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા ચિત્તધૈર્ય. અને સ્થિર ચિત્તમાં પ્રભુ !
અર્જુનના ચહેરાને જોતાં શ્રીકૃષ્ણને લાગ્યું કે આ માર્ગે જવાની પણ તૈયારી તેની નથી. ત્યારે શ્રીકૃષ્ણ કહે છે :
ગાલેડAસમર્થોસિ, મર્મપરમો ભવ | मदर्थमपि कर्माणि, कुर्वन् सिद्धिमवाप्स्यसि ।।
તું ચિત્તધૈર્યનો અભ્યાસ ન કરી શકે તો મેં કહેલ સાધના - વેયાવચ્ચ, ભક્તિ આદિની – કર. મેં કહેલ સાધના કરીને પણ તું સિદ્ધિને પામીશ.
વેયાવચ્ચ મુનિની, પણ આજ્ઞા પ્રભુની. એટલે વેયાવચ્ચ કાર્ય તો પ્રભુનું જ થયું : “મવર્થમ્'. સ્વાધ્યાય ગ્રન્થનો, પણ પ્રભુના પ્યારા શબ્દોનું, એ અધ્યયન છે એટલે સ્વાધ્યાય પણ પ્રભુકૃત્ય થયું....
બુદ્ધિ પ્રભુ સાથે જોડાય એટલે શ્રેષ્ઠ બને. આ જ સન્દર્ભમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : “ામ વુદ્ધિયો તે.” જે બુદ્ધિ દ્વારા પ્રભુ સાથે જોડાઈ શકાય તે બુદ્ધિયોગ તને હું આપું છું.
મહાસતી રાજીમતીજી પાસે આવી બુદ્ધિ હતી જ. અને તેથી તેમણે નેમિનાથ પરમાત્માનું શરણું સ્વીકાર્યું. “રાજુલનારી રે તારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતો જી.” પ્રગટ્યો પૂરન રાગ