________________
દીસે...’ હવે અધૂરપોની ફરિયાદ બધી જ ગઇ. પ્રભુ ! તેં મારી દુનિયા આખી બદલી આપી. હવે તો ચોમેર બસ આનન્દ જ છલકાતો નજરે પડે છે.
ભક્તિનો પ્રથમ અનુભવ થયો અને હું સ્તબ્ધ બની ગયો : શું આવું પણ થઈ શકે છે ! અરે, આ તો કલ્પનાતીત.... આંખોના નંબર ઘણા બધા હોય એવો દર્દી ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એની આંખે એને યોગ્ય નંબરના કાચ મૂકે ત્યારે ! સામેનું પાટિયું, જે સાવ અક્ષરો વિનાનું, સપાટ લાગતું હતું; હવે કેટલી સ્પષ્ટતાથી ઝીણામાં ઝીણા અક્ષરો વાંચી શકાય છે. મને પણ, પ્રભુ! આવો અનુભવ થયો. આખી સૃષ્ટિ મને બદલાયેલી લાગી. તેં નવી દિષ્ટ આપીને, પ્રભુ ! હું સ્તબ્ધ બન્યો. અકલ્પિત ઘટના અચાનક ઘટી પડે ત્યારે અવાક્ બની જવાય તેમ હું અવાક્ બન્યો. ભક્તિ પ્રગાઢ રીતે મળી ત્યારે સહુથી પહેલો અનુભવ હતો પરમ આનન્દનો. આંખો વરસવા લાગી. અસ્તિત્વ આનન્દના રંગે રંગાઈ ગયું.TM
પણ પછી તરત થયું કે આવો પ્રચંડ અનુભવ શું ખરેખર મને થયો છે ? એક સ્તબ્ધતાની લાગણીએ મને ઘેરી લીધો. પણ પછી સદ્ગુરુએ મારી ભક્તિને પ્રમાણિત કરી અને કહ્યું કે ભક્તિપ્રાપ્તિનો પહેલો અનુભવ આવો જ હોય છે ત્યારે ફરી આનન્દના દિવ્ય પ્રવાહમાં વેગથી હું તરવા લાગ્યો. અને આનન્દપૂર્ણ મારા સ્વરૂપની આંશિક ઝલક મેળવી હું આત્મરમણશીલ બન્યો.
તારો આભારી છું, પ્રભુ !
N
પૂર્ણ રાગની એક દિવ્ય અનુભૂતિની ચર્ચા ઉપરોક્ત સ્તવનામાં થઈ છે : ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિટ્યો ભેદ કો ભાગ; કૂલ વિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ...’
૪. યગ્ જ્ઞાત્વા મત્તો મતિ, સ્તવ્યો મતિ, આત્મારામાં મતિ | -નારદ ભક્તિ સૂત્ર, ૬.
પ્રગટ્યો પૂરન રાગ
૪૮