________________
સ્તવનાની બીજી કડી
અમેદાનુભૂતિ
પ્રભુ જોડે પૂર્ણ રાગ થવાથી ભક્તના હૃદયમાં કેવું તો આમૂલચૂલ પરિવર્તન સર્જાય છે તેની વાત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પરમાત્મ-સ્તવનામાં કરી છે : “પૂરન મન સબ પૂરન દીસે, નહિ દુવિધા કો લાગ....” મન પૂર્ણ થઈ જાય છે. બધું જ પૂર્ણ, પૂર્ણ દેખાય છે. ક્યાંય અપૂર્ણતા લાગતી નથી.
પણ એ રાગ પ્રભુ સાથેનો કેવો હોવો જોઈએ ? કહે છે કવિ : “મેરે પ્રભુનું પ્રગટ્યો પૂરન રાગ. નારદ ઋષિ જેને પરમ પ્રેમ કહે છે, શાંડિલ્ય ઋષિ જેને પરા અનુરક્તિ કહે છે તે જ આ પૂર્ણ રાગ.
પૂર્ણ રાગ કે પરમ રાગનો અહીં એ અર્થ ધ્વનિત થાય છે કે હૃદયના એક પણ ખૂણે પ્રભુ સિવાયના કોઈ પણ વ્યક્તિત્વ કે પદાર્થ આદિ પર રાગ ન હોય. સંપૂર્ણ હૃદય, સંપૂર્ણ અસ્તિત્વ પ્રભુ પ્રત્યેના રાગથી એવું તો છલકાઈ ગયેલું હોય કે એ સિવાયનું બીજું કંઈ જ ત્યાં રહી ન શકે.
* આ પૂર્ણ રાગ - ભક્તિ મળે એટલે ભક્તની ભાવદશા કેવી થાય એની વાત આપણે જોતા હતા : “પૂરન મન સબ પૂરના १. अथातो भक्तिं व्याख्यास्यामः । सा त्वस्मिन् परमप्रेमरूपा ।
અમૃતસ્વરૂપ | -નારદ ભક્તિ સૂત્ર ૧,૨,૩ ૨. સી પરાડનુરરૂિરીશ્વરે ! –શાંડિલ્ય ભક્તિ સૂત્ર. 3. तस्मिन् अनन्यता तद्विरोधिषूदासीनता च ।
કન્યાશ્રયાળાં ત્યા/: અનન્યતા I -નારદ ભક્તિસૂત્ર. ૯, ૧૦.