________________
જ્ઞાનસાર પ્રકરણના અનુભવાષ્ટકમાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પૂછે છે ઃ નિર્દેન્દ્ર આત્મસ્વરૂપની અનુભૂતિ તેના સ્વરૂપને વાંચવાથી, સાંભળવાથી કે વિચારવાથી શી રીતે થઈ શકે ?પ
:
પ્રશ્ન થાય કે તો શું શાસ્ત્ર નિષ્પ્રયોજન છે ? ના, શાસ્ત્ર દ્વારા જ આગળ વધી શકાશે. પણ એ શાસ્ત્રને અનુભૂતિવાન પુરુષનાં ચરણોમાં બેસીને ઘૂંટવું પડશે.
બહુ પ્યારા શબ્દો ત્યાં આવ્યા : સંપૂર્ણ શબ્દબ્રહ્મને શાસ્ત્રદૃષ્ટિ વડે મેળવીને સાધક સ્વસંવેદ્ય પરમ બ્રહ્મને અનુભવ વડે પામે છે.૬-૭
શાસ્ત્રદૃષ્ટિ વડે ગ્રન્થને મેળવવો એટલે શ્રીગુરુનાં ચરણોમાં સમર્પિત થઈને ગ્રન્થ મેળવવો. શબ્દો તમારા અને શબ્દો સદ્ગુરુના... બહુ મોટો તફાવત છે. તમારા શબ્દો વિકલ્પોના મહેલને ચણવા માટે ઈંટો જેવા છે. સદ્ગુરુના શબ્દો વિકલ્પોના મહેલને તોડનાર ઘણ છે.
‘જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ’. ધ્યાન દશામાં - અનુભૂતિની ક્ષણોમાં જ્ઞાન વાસ્તવિક રૂપે પરિણમે છે. શાસ્ત્ર પહેલાં વાંચી લઈએ. કદાચ એના ઇંગિતનો ખ્યાલ પણ ન આવે. જ્યારે અનુભૂતિ થાય ત્યારે ખ્યાલ આવે કે આ શબ્દનો આ અર્થ હતો.
ધ્યાનદશામાં આત્મા જોડે તાદાત્મ્ય અનુભવાય છે. ‘આત્મતાદાત્મ્યતા પૂર્ણ ભાવે, તદા નિર્મલાનન્દ સંપૂર્ણ પાવે...' આત્મસ્વરૂપ હવે માત્ર
૫. પશ્યતુ બ્રહ્મ નિર્દેન્દ્ર, નિર્દેન્દ્વાનુમત્રં વિના | कथं लिपिमयी दृष्टिर्वाड्मयी वा मनोमयी ।।
६. अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।।
૭. પરમાત્મપંવિં. શ્યો. ૪
પ્રગટ્યો પૂરન રાગ
૪૩