SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યને માટે આચારાંગ સૂત્ર એક વિશેષણ આપે છેઃ તદ્દિીએ. ગુરુ-દ્રષ્ટિક. સદ્ગુરુ તરફ જ એની મીટ મંડાયેલી હોય... અને શિષ્ય બને ‘તમ્મુત્તીએ.’ ગુરુમય. તન્મય. - અને, ગુરુ બહાર ગયા હોય, શિષ્યને - આ શિષ્યને લીધા વિના - તો શિષ્ય શું કરે ? તે હોય ‘પંથ-નિઝ્ઝાઈ.' સદ્ગુરુ જે માર્ગેથી આવનાર છે, તે માર્ગને જોનાર હોય. જેથી સદ્ગુરુ આવે એ જ ક્ષણે તે ઊભો થઈ સદ્ગુરુની ભક્તિ કરી શકે. તો, શિષ્ય માટે ગુરુમુખી વિશેષણ એક પ્યારા વિશેષણ તરીકે ભારતીય પરંપરા વાપરે છે. અને મનમુખી વિશેષણ શિષ્ય માટે ખરાબ વિશેષણ કહેવાય છે. પોતાની ઇચ્છા પ્રમાણે ચાલનારો મનના કહ્યા પ્રમાણે વર્તનારો તે મનમુખી. -- ON “આતમશક્તિ સકલ પ્રગટ કરી...' સાધક આત્મશક્તિને પ્રગટ કરે છે. વિભાવો જેમ જેમ હટ્યા, તેમ તેમ આત્મસૂર્યનો પ્રકાશ ચિદાકાશમાં રેલાવા લાગ્યો, ફેલાવા લાગ્યો. પ્રભુની આત્મશક્તિના પ્રકટીકરણની વાત વર્ણવતાં સ્તબકમાં પરમ અસંયોગ, અયોગિત્વ આદિ શક્તિઓની - ગુણોની વાત કરાઈ છે. પરમ અસંયોગ તેરમા ગુણઠાણે. સાધકાવસ્થામાં આપણી પાસે હશે અસંયોગ. સૂત્ર આવી રીતે ખૂલે છે સાધક માટે ઃ ૫૨-અસંયોગ બરોબર પરમ-સંયોગ. ચેતનામાંથી ૫૨ છૂટે તો જ પરમની પધરામણી ત્યાં થાયને ! પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે પરમતારક શ્રી ઋષભદેવ પ્રભુના સ્તવનમાં કહ્યું : ‘પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ.' તોડ-જોડની વાત થઈને ! પરની પ્રીત તૂટી, સ્વની પ્રીત - પરમની પ્રીત સાથે તમે જોડાયા. પ્રગટ્યો પૂરન રાગ ૩૯
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy