SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ એક સૂફી સંત. એમણે એક મઝાનું ચિત્ર દોર્યું. પ્રાકૃતિક દૃશ્યને અભિચિત્રિત કરતું એ ચિત્ર ખૂબ સુંદર હતું. સંતે એ ચિત્ર સમ્રાટને અર્પણ કર્યું. સમ્રાટ પણ ચિત્ર જોઈને પ્રભાવિત થઈ ગયો. એણે ૧૦૦ સોનામહોર સંતને આપી. સંતે એક સોનામહોર પોતાની પાસે રાખી, નવ્વાણું સોનામહોર સમ્રાટને પાછી આપી. સમ્રાટે કારણ પૂછતાં તેમણે કહ્યું : ‘ચિત્ર ચીતરતાં એટલો બધો આનન્દ મળ્યો છે કે બધું જ મળી ગયું છે. ચિત્રે જ મને જોઇતું હતું તે બધું આપી દીધું છે. પરંતુ આપનું માન રાખવા માટે એક સોનામહોર મેં સ્વીકારી છે.' ચિત્ર દ્વારા મળે તેની વાત કરતાં, ચિત્ર ચીતરતાં મળેલ આનન્દ - સાધનાનો આનન્દ સંતને સરસ લાગ્યો છે. છાંડ્યો સર્વ વિભાવો જી'. સાધના માર્ગે ચાલ્યા. અહંકાર કેમ ન છૂટ્યો ? નો પ્રેમ ન તૂટ્યો તેથી અહંકાર ઓગળ્યો નહિ. ‘હુનો પ્રેમ ગુરુના પ્રેમ કરતાં વધી જાય તો સાધનાનો રથ ઊથલી જ પડે ને ! ભારતીય યોગી-પરંપરામાં શિષ્ય માટે એક વિશેષણ વપરાય છે? ગુરુમુખી. સદ્ગુરુ તરફ જ જેનો ચહેરો – જેનું હૃદય પ્રસ્થાપિત થયેલ હોય તે શિષ્ય. સૂરજમુખીના ફૂલ જેવો શિષ્ય. સૂરજમુખીનું ફૂલ સૂરજ ઊગે ત્યારથી સૂર્ય આથમે ત્યાં સુધી એના તરફ જ મુખ રાખ્યા કરે છે અને સૂર્ય આથમે ત્યારે એ મૂરઝાઈ જાય પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy