SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સીધા જ પ્રભુવાળી પેટી પાસે જઈને બેસી ગયા. પેલા ભાઈ તો વિચારમાં પડ્યાઃ પેટી પર તો તાળું માર્યું છે અને ચાવી મારી પાસે છે. મહારાજ શું કરશે ? પૂ. ઉદયરત્નજી મહારાજે પરમ તારક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને વિનંતી કરી : “દેવ ! કાં એવડી વાર લાગે ? પ્રભુ ! આટલે દૂરથી અમે તમારું દર્શન કરવા આવ્યા. ને તમે આટલી વાર કાં લગાડો ? જલદી દર્શન આપો ! “કોડિ કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ! ચાકરા માન માગે..” અમે તમારા દરબારમાં હાથ જોડીને બેઠા છીએ અને તમે ભાવ પૂછાવો છો ! જલદી દર્શન આપો ! અને પેટી ખૂલી ગઈ. ભક્તની આંખો પ્રભુદર્શન વડે તૃપ્ત થઈ. છાંડ્યો સર્વ વિભાવો છે.” ભક્તનું લક્ષ્યાનુસન્ધાન – સ્વરૂપસ્થિતિનું - સ્પષ્ટ થયું કે વિભાવો દૂર થવા લાગશે. એક પદાર્થનો રાગ જો ઘણી બધી ક્ષણો આપણા ઉપયોગને પ્રભુમાંથી દૂર કરે તો આપણે રાગ કેમ કરી શકીએ ? એક વેપારીનું લક્ષ્ય ધંધાનું હોય, કમાણીનું; તો તેને ખાવા-પીવાનું પણ ગમતું હોતું નથી. પોતાનો સમય એમાં જાયને? લક્ષ્યાનુસન્ધાન થઈ ગયું. હવે સાધ્ય તરફની ગતિ જ સાધકને અભિપ્રેત છે. અને બહુ મઝાની વાત તો સાધ્ય ભણીના માર્ગની છે. માર્ગ પણ એટલો મઝાનો છે કે ચાલતાં ઓચ્છવ થઈ રહે. પ્રગટ્યો પૂરન રાગ ૩૭
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy