________________
સીધા જ પ્રભુવાળી પેટી પાસે જઈને બેસી ગયા. પેલા ભાઈ તો વિચારમાં પડ્યાઃ પેટી પર તો તાળું માર્યું છે અને ચાવી મારી પાસે છે. મહારાજ શું કરશે ?
પૂ. ઉદયરત્નજી મહારાજે પરમ તારક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને વિનંતી કરી : “દેવ ! કાં એવડી વાર લાગે ? પ્રભુ ! આટલે દૂરથી અમે તમારું દર્શન કરવા આવ્યા. ને તમે આટલી વાર કાં લગાડો ? જલદી દર્શન આપો ! “કોડિ કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ! ચાકરા માન માગે..” અમે તમારા દરબારમાં હાથ જોડીને બેઠા છીએ અને તમે ભાવ પૂછાવો છો ! જલદી દર્શન આપો !
અને પેટી ખૂલી ગઈ. ભક્તની આંખો પ્રભુદર્શન વડે તૃપ્ત થઈ.
છાંડ્યો સર્વ વિભાવો છે.”
ભક્તનું લક્ષ્યાનુસન્ધાન – સ્વરૂપસ્થિતિનું - સ્પષ્ટ થયું કે વિભાવો દૂર થવા લાગશે.
એક પદાર્થનો રાગ જો ઘણી બધી ક્ષણો આપણા ઉપયોગને પ્રભુમાંથી દૂર કરે તો આપણે રાગ કેમ કરી શકીએ ?
એક વેપારીનું લક્ષ્ય ધંધાનું હોય, કમાણીનું; તો તેને ખાવા-પીવાનું પણ ગમતું હોતું નથી. પોતાનો સમય એમાં જાયને?
લક્ષ્યાનુસન્ધાન થઈ ગયું.
હવે સાધ્ય તરફની ગતિ જ સાધકને અભિપ્રેત છે. અને બહુ મઝાની વાત તો સાધ્ય ભણીના માર્ગની છે. માર્ગ પણ એટલો મઝાનો છે કે ચાલતાં ઓચ્છવ થઈ રહે.
પ્રગટ્યો પૂરન રાગ
૩૭