________________
રહેલા પેલા અન્કલ આ દશ્ય જુએ તો એમને શું થાય ? કંઈ ન થાયને ! મારું દર્દ સામાન્ય હતું. એનું દર્દ ગંભીર હતું.
તો, આ જ દૃષ્ટિકોણ આગળની ઘટનામાં ન આવી શકે ? પોતાની સાથે ગુરુ બે મિનિટ બોલ્યા, બીજાની સાથે પંદર મિનિટ બોલ્યા... તો તેનું દર્દ થોડું ગંભીર હશે..
એક કથા વાંચેલી : ગુરુ એક શિષ્યને પોતાની જોડે જ રાખતા. બીજા શિષ્યોને કો'ક પ્રસંગ પર ક્યારેક મોકલે; આ શિષ્યને ક્યારેય, એકાદ દિવસ માટે પણ, પોતાનાથી અલગ ન મૂકે.
પેલા શિષ્ય આને પોતાના અહંકારને ઉભારવાના બિન્દુ સમ ગણ્યું. એકવાર એ એક વ્યક્તિ જોડે આ વાત ચર્ચી રહ્યો હતો : “ગુરુદેવ મને તો એક દિવસ પણ પોતાનાથી દૂર ન મૂકે. ગુરુદેવને મારા પર ખૂબ ભાવ છે. શબ્દો તો આમે આવા જ વાપરવા પડેને ! પણ ભાવ એ હતો કે બીજા બધા વિના ગુરુદેવને ચાલે, મારા વિના ન ચાલે....”
એનું એ લયમાં બોલવું અને એ જ સમયે ગુરુનું ત્યાંથી નીકળવું. ગુરુ સાંભળી ગયા એના શબ્દો. એ વખતે તો ગુરુદેવ કંઈ જ ન બોલ્યા. પણ સાંજે એ શિષ્ય વન્દન માટે ગયો ત્યારે ગુરુએ કહ્યું : “પેલાની જોડે તું શું શેખી વઘારતો'તો ? સાંભળ, તારું દર્દ એવું છે કે તને મારા વિના એક ક્ષણ પણ રાખી શકાય તેમ નથી. માટે તને મારી જોડે રાખું છું. ગંભીર દર્દવાળા દર્દીને સઘન દાક્તરી સારવાર હેઠળ જ રાખવો પડેને!.”
છાંડ્યો સર્વ વિભાવો .” વિભાવો નથી છૂટતા તો એનું કારણ શું હોઈ શકે ?
એક તો કારણ એ છે કે સ્વરૂપ સ્થિતિને પામવાનું લક્ષ્ય બરોબર નથી થયું. જો લક્ષ્ય નક્કી હોય તો તેના આડે આવતા અવરોધો હટ્યા વિના રહે જ નહિ.
પ્રગટ્યો પૂરન રાગ
૩૫