SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિ પકરેંગે'... અવિનાશિપણાનો ખ્યાલ એટલે કાળની પાર જવાપણું. દેહને કાળ અસર કરશે. ચૈતન્યને શું કરશે એ ? ‘મર્યો અનન્તકાલ તે પ્રાણી, સો હમ કાલ હરેંગે...’ ચીની દાર્શનિક લાઓત્સે. એક વૃક્ષ નીચે એકવાર બેઠેલા. પાનખરની ઋતુ. એક સૂકું પાંદડું નીચે ખર્યું. અશાશ્વતીનો ખ્યાલ. અનિત્યભાવની તીવ્રતા. લાઓત્સે પામી ગયા. એક ઝેન ઉપાસિકા એકવાર પૂનમની રાત્રે નદીમાંથી કાવડમાં પાણી ભરીને આશ્રમ તરફ આવી રહી છે. કાવડના આગળના ઘડામાં ચન્દ્રનું પ્રતિબિમ્બ પડતું હતું. બહુ જ સરસ એ દૃશ્ય લાગ્યું ઉપાસિકાને. એની દૃષ્ટિ ત્યાં સ્થિર થઈ. પથ્થરની ઠેસ લાગી. એ પડી ગઈ. કાવડના બેઉ ઘડા ફૂટી ગયા. હવે ચન્દ્ર ઘડાવાળો ચન્દ્ર ક્યાં ? અશાશ્વતીનો આ લય અનુભૂતિ સુધી ગયો. અને અનિત્યોને પેલે પાર રહેલ નિત્ય ચૈતન્ય સુધી અનુભવ લંબાયો. — ‘નેમિ જિનેસ૨ નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી...' સાધકની દૃષ્ટિ સ્વરૂપદશા પર ગઈ એટલે પરમાં ઉપયોગ જતો અટકશે. રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બનતા જશે. પ્રક્રિયા આવી રીતે આગળ વધશેઃ જાગૃતિનું લક્ષ્ય, જાગૃતિનું ધારદાર બનવું અને સ્વમાં ઉપયોગનું સાતત્ય. પહેલું ચરણ : જાગૃતિનું લક્ષ્ય. મનને એક લક્ષ્યાંક આપવું છે કે હું પરમાં ન જાઉં. મારો ઉપયોગ પરમાં ન જ જવો જોઈએ. પરમાં ‘અધ્યાત્મગીતા’માં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ આને જ ઉપયોગના જવાની પ્રક્રિયાને - હિંસા કહે છે. મૂલ્યવાન સૂત્ર ત્યાં આવ્યું પ્રગટ્યો પૂરન રાગ - ૨૯
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy