________________
મારું મૂળ સ્વરૂપ આ છે : દાદાનું છે તે. મારે અત્યારે એ સ્વરૂપનું પ્રતિબિમ્બ મારી ભીતર ઉપસાવવું છે.
આ ક્ષણોમાં આનન્દઘનીય અભિવ્યક્તિ આપણા કંઠેથી પણ પ્રગટશે : “અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે....* બિમ્બ અને પ્રતિબિમ્બ એક બને ત્યારે અભેદાનુભૂતિ જ ઝળકને ! મારા શુદ્ધ સ્વરૂપને નમસ્કાર.... અહોભાવની ક્ષણોની પ્રસ્તુતિ કડીના ઉત્તરાર્ધમાં છે : અમાપ ફળને આપનાર પ્રભુ મને મળી ગયા ! હવે મારું શુદ્ધ સ્વરૂપ ક્યાં દૂર છે ? - ઉપનિષદ્રી પ્યારી પંક્તિ યાદ આવે : “હું તૂર, તત્તિ', ‘તે' - શુદ્ધ સ્વરૂપ દૂરથી પણ દૂર છે અને નજીકથી પણ નજીક છે.
| સ્વરૂપ સ્થિતિની પ્રબળ ઝંખના તે માટેની લાલાયિતતામાં ફેરવાશે અને ત્યારે બે કાર્યો થશે : સ્વભાવ ભણીની ક્રિયામાં ઉપયોગ પૂરેપૂરો હશે અને વિભાવની આવશ્યક ક્રિયાઓ - ખાવા-પીવા આદિ – માં રસવૃત્તિ નહિ રહે. આવશ્યક વૈભાવિક ક્રિયાઓના સમયે ક્રિયા રહેશે (ખાવા-પીવા આદિની), કર્તા નહિ રહે. - ઉપયોગ શુભમાં અને શુદ્ધમાં પૂરો. વિભાવની ક્ષણોમાંથી ઉપયોગને
ખેંચી લેવાનો. ધારો કે ભોજનની ક્રિયા ચાલી રહી છે, એ વખતે તમે કોઈ સરસ કડી પર અનુપ્રેક્ષા કરો તો ? તનના સ્તર પર ભોજન. મનના સ્તર પર સ્વાધ્યાય.
હું ઘણીવાર હસતાં હસતાં કહું છું કે તમારું મન કોઈ કડીની અનુપ્રેક્ષામાં હશે અને જમવાનું ચાલુ હશે તોય કોળિયો મોઢામાં જ જવાનો છે. નાક કે કાનમાં નહિ જ જાય એની ગેરન્ટી ! ૪. શાન્તિ જિન સ્તવના
પ્રગટ્યો પૂરન રાગ
૨૭