________________
એ માર્ગદર્શન મેળવવા માટે જોઈશે સમર્પણની ભૂમિકા. સદ્ગુરુ જે કહે તે જ માર્ગ. અહીં બુદ્ધિને કોઈ જ અવકાશ નથી. | ગાડીમાં કે વિમાનમાં બેસો છો ત્યારે ડ્રાઇવર કે પાઇલટ પર કેવો વિશ્વાસ હોય છે ? વિમાનમાં બેઠા પછી ક્યારેય કૉકપિટમાં જઈ પાયલોટને જોવાનો કે મળવાનો પ્રયાસ કર્યો ? આખું વિમાન - અવકાશમાં – જેને હસ્તક છે, એ માણસ કેવો છે ?
સગુરુ પર જોઈએ શ્રદ્ધા. તમે ન રહો - તમારું વૈભાવિક હું ન રહે - માત્ર સદ્ગુરુ રહે તે સદ્ગશ્યોગ.
ઝંખના સમર્પણના સ્તરે ઊતરી એટલે થયો સદ્ગુરુયોગ.
અહંકાર શિથિલ બન્યો, સમર્પણ ભાવ સશક્ત બન્યો; સાધના માર્ગ પર ચાલવાની સાધકને સજ્જતા મળી.
- હવે જોઈશે સદ્ગ-વચનયોગ. સદ્ગુરુનાં વચનને અન્તસ્તરથી સ્વીકારવાનાં. સદ્ગુરુનું વચન તે જ પોતાને માટે જીવનમ.
કેટલી તો નિર્ભરતા અહીં છે ? પોતાને શું કરવાનું છે એ અંગે એણે પોતે વિચારવાનું જ નહિ. સદ્ગુરુ કહે તેમ કરવાનું.
પૂજ્યપાદ, વિરલ વિભૂતિ, વિદ્યામનીષી શ્રી જખ્ખવિજયજી મહારાજ સાહેબ યાદ આવે.
તેઓ પ્રકાન્ડ દાર્શનિક વિદ્વાન. દ્વાદશારે નયચક્ર ગ્રન્થને તેમણે પુનર્જીવિત કર્યો.
તેમના ગુરુદેવ પૂજ્યપાદ ભુવનવિજય મહારાજ સાહેબ તેમને ઘણીવાર કહેતા : જબ્બ ! આ તું શું દાર્શનિક બાબતોની ખટપટમાં પડ્યો છે ? પ્રભુની વાણીનું કંઈક દોહન કર. પૂજનીય આગમ ગ્રન્થો પર તું દષ્ટિ લંબાવ !
પ્રગટ્યો પૂરન રાગ