SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભૂતિના આસ્વાદે વિગત જન્મોની અનુભૂતિનું પ્રતિબિમ્બ પાડ્યું. એ પ્રતિબિમ્બ ગાઢ સ્મૃતિ દ્વારા પ્રબળ ઝંખનામાં ફેરવાશે. --- વિગત જન્મની અનુભૂતિ, જે આપણી ભીતર સંઘરાયેલી છે; તેને રખ્યા વચ્ચે રહેલ ધધકતા અંગારાની ઉપમા અપાઈ છે. ક્યારેક રાખ હવાના ઝોંકાથી - કો'ક ઘટનાથી ઊડી જાય છે અને અનુભૂતિનો અંગારો ખુલ્લો બને છે. ક્યારેક સદ્ગુરુ રાખને ઉડાડી મૂકે છે અને ભીતર ધધકી રહેલા અનુભૂતિના અંગારાને પ્રકટ કરે છે. સદ્ગુરુનું આ જ તો કાર્ય છેને ! તમારી જન્માન્તરીય સાધના ધારા સાથે તમને જોડી દેવાનું ! નેમિ જિનેસ૨ નિજ કારજ કર્યું.' સાધક માટે લક્ષ્ય છે સ્વરૂપ સ્થિતિની પ્રાપ્તિ. નિજ કાર્ય, પોતાનું કાર્ય શું ? સ્વરૂપમાં સ્થિત હોવું તે. ઝંખના અને સ્વરૂપ પ્રાપ્તિની વચ્ચે ઝંખનાને સાકાર બનાવનારાં બે તત્ત્વો આવશ્યક છે : સદ્ગુરુયોગ, સદ્ગુરુ-વચનસેવના. ઝંખના પ્રબળ બની. હવે ચાલવું છે સાધનામાર્ગે. પ્રશમરતિ પ્રકરણ યાદ આવે : ‘નુર્વાયત્તા યસ્માત્ શાસ્ત્રારમ્ભા મવન્તિ સર્વેઽપિ'- શાસ્ત્રનો પ્રારંભ સદ્ગુરુને અધીન છે તેમ સાધનાનો આરંભ પણ સદ્ગુરુને જ અધીન છે. પૂર્વાનુભૂત સાધનાનું સ્મરણ થાય છે અને એ સ્મરણ ઝંખનામાં ફેરવાય છે. પણ પૂર્વ જન્મની અનુભવેલી સાધનાના માર્ગ પર સદ્ગુરુના માર્ગદર્શન વિના એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી. પ્રગટ્યો પૂરન રાગ ૨૦
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy