________________
એ ઝંખના શુભમાંથી શુદ્ધ ભણી એમને દોરી ગઈ અને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન ગુણસાગરને થયું.
NON
અનુભૂતિ પછીના સ્મરણની વાત કરતાં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે કહ્યું : ‘મોહાદિકની ઘૂમી અનાદિની ઊતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ...’
રાગ, દ્વેષ, મોહનું જોર પાંખું પડતાં પોતાના અમલ, અખંડ અને અલિપ્ત સ્વભાવની અનુભૂતિ થયેલી... ફરી, રાગાદિનું જોર વધતાં એ અનુભૂતિ પાંખી થઈ ગયેલી. ફરી મોહ આદિ શિથિલ બનતાં અનુભૂતિની સ્મૃતિ તીવ્ર બને છે.
અનુભૂતિ, સ્મરણ, ઝંખના આ ક્રમ થયો.
અનુભૂતિની વ્યાખ્યા કરવી બહુ જ અઘરી. પરંતુ ‘હૃદય-પ્રદીપ ષત્રિંશિકા' ગ્રન્થે એની વ્યાખ્યા આપી છે : ‘શાપિØવિષયેષુ विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः ॥'
સાધક કંઈક બોલી રહ્યો છે, કદાચ પોતાની અભિવ્યક્તિથી એ પોતે ખુશ છે, ભીતર અહંકારનો સમંદર હિલોળે ચઢ્યો છે. પણ એક ક્ષણ એવી આવે છે, જ્યારે સાધક પોતાના એ શબ્દોથી પોતાની જાતને અળગી કરી નાખે છે. હોઠમાંથી શબ્દો નીકળી રહ્યા છે. પોતે માત્ર એને જોઇ રહ્યો છે; આ ભૂમિકા એને મળે છે.
પરથી અલગાવની આ ક્ષણોમાં જન્માન્તરમાં અનુભવેલ શુભ કે શુદ્ધ ક્ષણોનું પ્રતિબિમ્બ પડે છે.
પ્રગટ્યો પૂરન રાગ
૧૯