SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મન, વચન, કાયાના યોગો, ભીતરી આનન્દ મળતાં કેવી રીતે છૂટે છે એની મઝાની વાત આ રીતે કહેવાઈ છે : અનુભવ રસ આસ્વાદતાં, કરતાં આતમધ્યાન સલુણા; વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન સલુણા. અષ્ટ૦ આત્મગુણોની અનુભૂતિની ધારામાં ઝૂમતો સાધક. એ ઝૂમવાની ક્ષણોમાં શબ્દો છૂટી જાય છે. પરની ઇચ્છા જેની છૂટી ગઈ છે એવા - અનિદાન - મુનિ વચનયોગથી મુક્ત ! યક્ષપ્રશ્ન સાધકે પોતાની જાત માટે આ કરવાનો છે : સ્વરૂપ . સ્થિતિની પ્રબળતમ ઝંખના પોતાને છે ? ઝંખનાની પૃષ્ઠભૂ ભક્તિના માર્ગે થતી વિરહવ્યથાની અનુભૂતિ જેવી છે. ભક્તને પ્રભુની વિરહવ્યથાની અનુભૂતિ ક્યારે થાય છે ? એકવાર અલપ ઝલપ પ્રભુના ગુણોનો સાક્ષાત્કાર થયો. પહેલાં ક્યારેય ન અનુભવેલ હોય તેવી આનન્દધારા એ સાક્ષાત્કાર વડે અનુભવી... પણ પછી, અનાદિની સંજ્ઞાઓ સવાર થઈ જાય છે અને પેલી ધારા છૂટી જાય છે. હવે ? હવે અનાદિની ધારામાં વહેવું ગમતું નથી અને પેલી ધારા મળતી નથી. આ ક્ષણો અકળાવનારી છે. અહીં છે પ્રબળ ઝંખના પ્રભુગુણના સાક્ષાત્કારની. સ્વરૂપસ્થિતિની પ્રબળ ઝંખના માટે પણ આવું કંઈક થાય. અલપ ઝલપ, થોડી ક્ષણો માટે, જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવમાં રહેવાનું થાય. એ ક્ષણોનો આનન્દ અનુભવાય... પણ ફરી, રાગ આદિની ધારામાં જતાં આ ક્ષણો છૂટી જાય. ૧૬ પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy