________________
શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન...૧ર-૪
સાધક પોતાના ક્ષાયોપથમિક ભાવના જ્ઞાનાદિગુણોને પ્રભુની પ્રભુતામાં લીન કરી દે, ઓગાળી દે; ચેતનાને પ્રભુના ગુણોની અનુયાયિની બનાવીને તે ગુણોના આસ્વાદમાં તે મગ્ન રહે. આ છે શુદ્ધ ભાવ પૂજા.
ક્રમ આવો થશે શુભયોગનું અવલંબન, પ્રશસ્ત રાગ, પ્રકર્ષ પ્રશસ્ત રાગ, નિજગુણમાં નિમજ્જન. પ્રભુરૂપ અથવા સ્વાધ્યાયનું આલંબન લીધું. પ્રભુની મુખમુદ્રા અથવા શાસ્ત્રની કોઈ પંક્તિ ખૂબ ગમી ગઈ (પ્રશસ્ત રાગ). હવે પ્રભુની મુખમુદ્રા પરથી જે પ્રશમ આદિ ભાવો નીતરી રહ્યા છે; તેને જોતાં તે પર રાંગ થશે (પ્રકર્ષ પ્રશસ્ત રાગ/ગુણરાગ). અને એ ગુણરાગ ગુણપ્રાપ્તિમાં, ગુણાનુભૂતિમાં પરિણમશે. એ જ રીતે શાસ્ત્રની પંક્તિમાં વર્ણવાયેલ આત્મગુણો ગમી જશે એટલે પ્રકર્ષ પ્રશસ્ત રાગ/ ગુણરાગની ભૂમિકા અને એ ગુણરાગ ચેતનાને ગુણમયી બનાવશે એટલે ગુણાનુભૂતિ.
સમકિતી, દેશવિરત અને સર્વવિરત સાધકોએ પોતાની ચેતનાનેઉપયોગને પ્રભુસત્તામાં ડૂબાડેલ છે.
શુદ્ધિનો પ્રકર્ષ તેરમાં ગુણઠાણે મળશે. જ્યારે સાધકની ચેતના સાધ્ય-ઉપાસ્ય અરિહંત પરમાત્મા જેવી થઈ જશે.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ બારમા સ્તવનની ચોથી કડીના સ્તબકમાં ભક્તિના ત્રણ પ્રકાર, આ સન્દર્ભમાં પાડે છે. યોગ ભક્તિ, રાગ ભક્તિ, તત્ત્વ ભક્તિ.
મન, વચન, કાયા તાર વન્દન, નમન આદિ કરવા તે યોગભક્તિ. લોગસ્સ' સૂત્ર બોલતાં જ્યારે પણ ‘વંદે’ કે ‘વંદામિ પદ આવે ત્યારે
પ્રગટ્યો પૂરન રાગ
૧૧