________________
મસ્તક ઝૂકવું જોઇએ, માનસિક ભાવ પ્રભુના નમનનો થવો જોઇએ અને ‘વંદે બોલીએ છીએ તે વાચિક નમસ્કાર થશે.
પ્રભુ પર અત્યંત રાગ તે રાગભક્તિ. સાધક પૂ. આનન્દઘનજી મહારાજની જેમ ગાઈ શકે :
ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે.” પ્રભુ છે સહુથી વધુ પ્રિય. લાગે કે કેવો બડભાગી હું છું કે પ્રભુ જેવા સ્વામી મને મળ્યા છે. અને એમણે ઉપદેશેલ ભક્તિ-માર્ગ મને મળી ગયો છે.
સાધક પોતાના ઉપયોગને પ્રભુના ગુણોમાં તન્મય કરે તે છે તત્ત્વભક્તિ.
આ તત્ત્વભક્તિને અનુલક્ષિત કરીને આ સ્તવના પ્રારંભાય છે.
૧ ૨
પ્રગટ્યો પૂરન રાગ