SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અલિપ્ત સ્વરૂપ છે આત્માનું. કર્મો વડે લિપ્ત હું નથી એવો એક અનુભવ. ‘અધ્યાત્મ બિન્દુ' ગ્રન્થમાં ગ્રન્થકાર કહે છે ઃ બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તા તો કર્મોને છે; મારે શું ?° પરામાં થતી આ છે અનુભૂતિ. આત્મસ્વરૂપની અનુભૂતિ. ‘અગમ અરૂપી રે અલખ અગોચરુ....’ પરમાત્મ સ્વરૂપ અગમ્ય બુદ્ધિ વડે, ગમ્ય-જાણી શકાય શ્રદ્ધા વડે... પ્રભુ અરૂપી. ભક્તિની ધારામાં પ્રભુ રૂપનો અન્તિમ પડાવ. કેવું રૂપ પ્રભુનું ? સમવસરણમાં બિરાજમાન પ્રભુના રૂપને ભક્તની આંખો પીએ છે ત્યારે ‘કોડિ દેવ મિલકે કર ન સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછન્દ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃત કો બુન્દ...' કરોડો દેવો પોતાના રૂપના જથ્થાને એકઠો કરે તોય પ્રભુના ચરણના અંગૂઠા જેટલું રૂપ થતું નથી. અલક્ષ્ય પ્રભુ છે. એકાન્તવાદીઓ પ્રભુના સ્વરૂપને પરિલક્ષિત નહિ કરી શકે. અનેકાન્તવાદીઓ દ્વારા તે સ્વરૂપ લક્ષ્ય છે. અગોચર. ઈન્દ્રિયો દ્વારા પ્રભુનું રૂપ નહિ દેખાય. અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જોઈ શકાશે. ૩ ‘પરમાતમ પરમીશો જી.’ પરમાત્મા પરમેશ્વર. बन्धोदयोदीरणसत्त्वमुख्याः भावाः प्रबन्धः खलु कर्मणां स्यात् ।। પ્રગટ્યો પૂરન રાગ ૧૨૫
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy