________________
પરમેશ્વર. પોતાના અનન્ત ગુણ-પર્યાયોના પણ પ્રભુ સ્વામી છે. અને દુનિયામાં પરમ ઐશ્વર્યવાન પણ પ્રભુ જ છે. પૂ. પદ્મવિજયજી મહારાજ પ્રભુના પ્રાતિહાર્ય આદિની ઋદ્ધિના સંબંધમાં કહે છે : “એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે હો !' '
યાદ આવે પૂજ્યપાદ જમ્બવિજયજી મહારાજ. પ્રભુના હીરાજડિત મુગટ વગેરેના સન્દર્ભમાં એમણે કહેલું : એ તો જગતનો ઠાકુર છે, ઠાકુર ! આ ઠકુરાઈ તો એને દ્વારે જ હોયને !
આવા પ્રભુની સેવા સાધક તરીકેની આપણી સંપત્તિને ચમકાવી મૂકે
એ પ્રભુની સેવા એટલે પ્રભુની આજ્ઞા શિરે ધારવી અને એને પાળવી.
૧ ૨૬
પ્રગટ્યો પૂરન રાગ