________________
સ્તવનાની છઠ્ઠી કડી તન્મયતા
પર નકારક
નેમિપ્રભુ ધ્યાને રે એકત્તા, નિજ તત્ત્વ એકતાનો જી; શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી. ૬
જિનગુણાનુભૂતિ દ્વારા નિજગુણાનુભૂતિની વાત આપણે જોઈ ' ગયા. આ કડીમાં ગુણાનુભૂતિની વાતનું મઝાનું ઊંડાણ ખોલવામાં આવ્યું છે.
અનુભૂતિવાન મહાપુરુષની અભિવ્યક્તિમાં આ જ તો વિશેષતા હોય છેને કે તેઓ અભિવ્યક્તિને અત્યન્ત સૂક્ષ્મગ્રાહિણી બનાવી શકે છે.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ માટે એવું કહેવાય છે કે તેઓ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. કૈવલ્યના કિનારે જેમનો પગ અડું-અડું થતો હતો તે મહાપુરુષની આ અભિવ્યક્તિ છે. અને એટલે જ તો એ આવી સપ્રાણ છેને!
અભિવ્યક્તિમાં ઊંડાણ અનુભૂતિ દ્વારા આવે. શ્રદ્ધા દ્વારા પણ આવે.
એક પ્રસંગ સુદદ્ધર આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કહેલ તે યાદ આવે છે : ભરૂચમાં પૂ. મણિવિજય મહારાજ (પૂ. નીતિવિજય