________________
યોગિરાજની એ દુનિયામાં હતા પ્રભુ અને હતું એક ભક્તહૃદય. ભક્તહૃદયને પ્રભુ સાથે કેવું તો સાયુજ્ય જોઈએ છે ! કવિ કહે છેઃ
અમે હરણાંની દોડ, તમે વાંસળી મધુર; અમે તારલા ચૂક, તમે તેજે ભરપૂર... અમે ઝરણાનું ગીત, તમે સાગર સંગીત; અમે પંખીની પ્રીત, તમે આભ છો અમિત...
ત્રીજું ચરણ : અશુભ આસવનો રોધ. મન જ્યારે અહોભાવ વડે આપ્લાવિત થયેલું હોય; રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બન્યા હોય; ત્યાં અશુભ આસ્રવ કેવો ?
O
ચોથું અને પાંચમું ચરણ : પરમાત્માનું અવલમ્બન, ૫૨માત્માના ગુણોનું અવલમ્બન અને અનુભૂતિ. પરમાત્માનું મુખ જોતાં પેલી પંક્તિ યાદ આવશે : ‘દીઠો સુવિધિ જિણંદ સમાધિ રસે ભર્યો હો લાલ...’ પ્રભુના મુખકમલ પર, પૂરા અસ્તિત્વને વ્યાપીને રહેલ સમાધિરસ – પ્રશમરસ દેખાશે.
અદ્ભુત છે આ સમાધિ રસ. જોકે એને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો બહુ જ અઘરો. પણ, એને જોયા પછી એવું તો એક સમ્મોહન પ્રગટે કે તમે એ આનન્દદશાને જોયા જ કરો, જોયા જ કરો.
પરમાત્માનો આ સમાધિ ગુણ જોતાં ભીતર શું થાય ? ‘ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ...' એ સમાધિ રસને જોતાં, જોતાં, ભીતર ઊતરતાં લાગે કે આ તો મારું પોતાનું જ સ્વરૂપ છે.
મારું સ્વરૂપ સમાધિપૂર્ણ. મારું સ્વરૂપ આનન્દથી છલોછલ ભરેલું.
દર્શન સ્વ-રૂપાનુસન્માનમાં પરિણમે. ‘હું જ આનન્દઘન છું.' આ વાત કેટલી તો મોટી છે ! પળે પળે ઘટનાઓના કારણે પીડાને અનુભવતું વ્યક્તિત્વ, ઘટનાઓનો સંગ છોડી આનન્દઘન બની જાય.
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૭