________________
એ માટેની વ્યવહાર સાધનાનો ક્રમ આ કડીમાં ચર્ચાયો છે : ‘અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી..”
ક્રમ આ રીતે થયો : (૧) અપ્રશસ્ત રાગ - કામરાગ આદિનો ત્યાગ, (૨) વીતરાગ પરમાત્મા સાથે પ્રશસ્ત રાગ, (૩) અશુભ કર્મોના આશ્રવનો રોધ, (૪) ગુણવાન પરમાત્માના અવલમ્બન દ્વારા ગુણો પ્રત્યે અનુરાગ, (૫) તે ગુણોનું અનુભવન, (૬) સંવર ભાવની વૃદ્ધિ, (૭) નિર્જરા, (૮) શુદ્ધ સ્વરૂપનું પ્રાકટ્ય.“
હવે આ મઝાના માર્ગને જોઈશું કે એ પર ચાલશું ? “સહ વીર્ય કરવાવહૈ.” સાથે ચાલીએ. બરોબરને ?
પહેલું ચરણ : અપ્રશસ્ત રાગનો ત્યાગ. પરમતારક શ્રી અનન્તવીર્ય પ્રભુના સ્તવનમાં સાધક પોતાની કેફિયત રજૂ કરતાં કહે છે :
કામરાગે અણનાથ્થા સાંઢ પરે ધસ્યો, સ્નેહરાંગની રાચે ભવપિંજર વસ્યો; દષ્ટિરાગ રુચિ કાચ પાચ સમકિત ગણું, આગમ રીતે નાથ ! ન નીરખું નિજ પણું.”
પ્રભુ ! આ કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગે મને કેવો તો પાયમાલ કરી દીધો. પ્રભુ ! તું મને રક્ષણ આપ !
પ્રભુ પાસે આર્ત સ્વરે રજૂ થયેલી આ વેદના, પ્રાર્થના. અને અપ્રશસ્ત રાગ છું !
૮. ૪થું અને પમું ચરણ મૂળ કડીમાં ન હોવા છતાં સ્વપજ્ઞ સ્તબકમાં છે.
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૩