________________
પરમાત્માના મુખનું દર્શન એમના મુખ પર રહેલ પ્રશમભાવના દર્શનમાં પરિણમે. એ દર્શન પ્રશમભાવની ઝંખનામાં અને એ ઝંખના પ્રશમભાવની પ્રાપ્તિમાં પરિણમે છે.
પશુભયોગની વાત લઈએ તો જ્યાં સુધી 'યોગક્રિયા અટકશે નહિ, ત્યાં સુધી આત્મા યોગ વડે ક્રિયા કરનાર છે જ.
એમ કહીએ કે જિનપૂજાથી પુણ્યબંધ થાય અને એથી સ્વર્ગાદિમાં જવું પડે; તો સરાગસંયમ દ્વારા પણ આવું જ થાય છે. તારણ એ નીકળે કે ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરનારના પણ પાપો મુનિના પાપો હટે તેમ હટે જ.
નિષ્કર્ષ આ નીકળે : વિષય-કષાયથી પ્રેરાઈને જે અસદ્ આરંભ થાય છે, તેનો ત્યાગ કરી સાધકે શુભભાવ ઊપજે તેવાં, પોતપોતાના ગુણસ્થાનકને યોગ્ય કાર્યો કરવાં જોઈએ.૭
એ શુભ ભાવ
ગુણસ્થાનકના ક્રમે ઊચકાતો - શુદ્ધમાં પરિણમશે.
-
non
આ પૃષ્ઠભૂ પર આપણે સ્તવનામાં દર્શાવેલ નિશ્ચય સાધના અને વ્યવહાર સાધના જોઈ.
નિશ્ચય સાધના આ છે : વીતરાગ પ્રભુ સાથે પ્રીતિયોગ કરવો. ‘નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...' વીતરાગ સાથેનો રાગ મુક્તિને અપાવે. તો, મોક્ષ મેળવવો એ નિશ્ચય સાધના.
૫. યાવત્ યોગક્રિયા નહિ થંભી, તાવત્ જીવ છે યોગારંભી. (૧૧૦) ૬. સ્વર્ગહેતુ જો પુણ્ય કહીજે, તો સરાગસંયમ પણ લીજે;
બહુરાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતિક ધ્રૂજે. (૧૧૨) ૭. મલિનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજી તે તરિયા; વિષય-કષાયાદિકને ત્યાગે, ધર્મમતિ રહીયે શુભ માગે. (૧૧૧)
૧૦૨
પ્રગટ્યો પૂરન રાગ