________________
મંઝિલ અને માર્ગ જેવી આ વાત છે. મંઝિલ નક્કી કર્યા પછી એ ભણી લઇ જાય તે માર્ગ.... પણ માર્ગે ચાલવું તો પડે જ. વગર ચાલ્યે મંઝિલ કેમ મળે ?
નિશ્ચય તે મંઝિલ. વ્યવહાર તે માર્ગ.
જ્ઞાનસાર યાદ આવે : ‘તિ વિના પથજ્ઞોઽવિ નાનોતિ પુરમીખિતમ્...' માર્ગનો જાણકાર, લક્ષ્ય તરીકે કો'ક ચોક્કસ સ્થળ જેણે નક્કી કર્યું છે તેવો યાત્રી પણ ચાલ્યા વિના તે સ્થળને પામી શકતો નથી.૧
અને એની સામે, મંઝિલ નક્કી ન કરેલ હોય અને ચાલ્યા કરે તો એને શું મળે ? મૉર્નિંગ વૉક રોજની પાંચ કે દશ કીલોમીટરની કરનારનું લક્ષ્ય ક્યાંય પહોંચવાનું નથી હોતું, માટે તે ઘરે જ રહે છે.
મંઝિલ નક્કી હોય (નિશ્ચય) અને માર્ગે ચાલવાનું (વ્યવહાર) ન રહે તો મંઝિલ કેમ મળે ? અને મંઝિલ જ નક્કી ન હોય તો માત્ર માર્ગ પર ચાલવાથી એ નિરુદેશ યાત્રા જ બની જશે ને ?
નિરુદેશ યાત્રા.
આપણી યાત્રા - સાધનાયાત્રાનું ધ્યેય શું છે ? રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા એ અત્યારની સાધનાનું ધ્યેય છે. તો સાધકે દરરોજ આન્તરનિરીક્ષણ કરવું જોઈએ કે એના રાગ, દ્વેષ, અહંકારમાં શિથિલતા આવી ? જવાબ હકારમાં મળે તો જ એ સંતુષ્ટ બને.
૧. તુરંગ ચઢી જિમ પામીયેજી, વેગે પુરનો પંથ;
મારગ તિમ શિવનો લહેજી, વ્યવહારે નિર્પ્રન્થ... (૫૬) મહેલ ચઢતાં જિમ નહિજી, તેહ તુરંગનું કાજ.... -સવાસો ગાસ્ત૦
૧૦૦
પ્રગટ્યો પૂરન રાગ