SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મંઝિલ અને માર્ગ જેવી આ વાત છે. મંઝિલ નક્કી કર્યા પછી એ ભણી લઇ જાય તે માર્ગ.... પણ માર્ગે ચાલવું તો પડે જ. વગર ચાલ્યે મંઝિલ કેમ મળે ? નિશ્ચય તે મંઝિલ. વ્યવહાર તે માર્ગ. જ્ઞાનસાર યાદ આવે : ‘તિ વિના પથજ્ઞોઽવિ નાનોતિ પુરમીખિતમ્...' માર્ગનો જાણકાર, લક્ષ્ય તરીકે કો'ક ચોક્કસ સ્થળ જેણે નક્કી કર્યું છે તેવો યાત્રી પણ ચાલ્યા વિના તે સ્થળને પામી શકતો નથી.૧ અને એની સામે, મંઝિલ નક્કી ન કરેલ હોય અને ચાલ્યા કરે તો એને શું મળે ? મૉર્નિંગ વૉક રોજની પાંચ કે દશ કીલોમીટરની કરનારનું લક્ષ્ય ક્યાંય પહોંચવાનું નથી હોતું, માટે તે ઘરે જ રહે છે. મંઝિલ નક્કી હોય (નિશ્ચય) અને માર્ગે ચાલવાનું (વ્યવહાર) ન રહે તો મંઝિલ કેમ મળે ? અને મંઝિલ જ નક્કી ન હોય તો માત્ર માર્ગ પર ચાલવાથી એ નિરુદેશ યાત્રા જ બની જશે ને ? નિરુદેશ યાત્રા. આપણી યાત્રા - સાધનાયાત્રાનું ધ્યેય શું છે ? રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા એ અત્યારની સાધનાનું ધ્યેય છે. તો સાધકે દરરોજ આન્તરનિરીક્ષણ કરવું જોઈએ કે એના રાગ, દ્વેષ, અહંકારમાં શિથિલતા આવી ? જવાબ હકારમાં મળે તો જ એ સંતુષ્ટ બને. ૧. તુરંગ ચઢી જિમ પામીયેજી, વેગે પુરનો પંથ; મારગ તિમ શિવનો લહેજી, વ્યવહારે નિર્પ્રન્થ... (૫૬) મહેલ ચઢતાં જિમ નહિજી, તેહ તુરંગનું કાજ.... -સવાસો ગાસ્ત૦ ૧૦૦ પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy