________________
અનુધ્યાન તે તે ગુણોની પ્રાપ્તિ તે તે મહાપુરુષોએ કેવી રીતે કરી, તે પર હશે.
આમ, ગુણાનુરાગ ગુણપ્રાપ્તિના માર્ગની શોધમાં ફેરવાશે. માર્ગ નક્કી થયા પછી એ માર્ગ પર ચાલવાનું થશે. હવે મંઝિલ ક્યાં દૂર છે ?
પ્રભુના અનન્ત ગુણો. સાધક પહેલા કયા ગુણ પર અનુરાગ કરશે ? જે દોષ એને તીવ્ર માત્રામાં પીડતો હોય એથી વિરુદ્ધ ગુણના સ્વામી પ્રભુ છે એ રીતે એ ગુણને એ ચાહશે.
રાગ પીડે છે, તો વીતરાગતા ગુણ પર તીવ્ર ચાહત, અનુરાગ. દ્વેષ પીડે છે, તો પ્રભુના ક્ષમા ગુણ ૫૨ હૃદયનું ઢળવું.
બહુ જ મઝાનો માર્ગ આપણી સામે ખૂલ્યો છે : ‘નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...' વીતરાગ પ્રભુ પ્રત્યે, એમનામાં રહેલ દિવ્ય ગુણો પ્રત્યે અનુરાગ કરીએ... મોક્ષ આ રહ્યો !
આ માર્ગ સરળ માર્ગ પણ છે. વિરાગનો માર્ગ કદાચ પ્રારંભિક સાધક માટે અઘરો છે. રાગદશા તો અનન્ત જન્મોથી અભ્યસ્ત છે. માત્ર રાગની દિશા બદલવાની રહી.
રાગી જોડે રાગદશા હતી અતીતમાં...
વીતરાગી જોડે રાગદશા કરવી છે એ છે આજથી, આ ક્ષણથી નિશ્ચિત થયેલું લક્ષ્યાંક...
nen
લક્ષ્યબિન્દુનું નક્કી થવું તે નિશ્ચય. તેને મનમાં રાખી મહાપુરુષોએ કહેલા માર્ગે ચાલવું તે વ્યવહાર.
૯૪
પ્રગટ્યો પૂરન રાગ