________________
બસ, આચાર્યશ્રી કહે છે કે “જીવાત્માનું પરમાત્મા સાથેનું આ “અનુસંધાન', - એ જ “ભક્તિ' !
અને આ ભક્તિ એટલે જ મોક્ષનાં સાધનોની મૂળભૂત સામગ્રી ! બીજા (પ) તત્ત્વચિંતકોએ આપેલી, આ સામગ્રીની વ્યાખ્યા પણ અંતે તો આ જ વાત કહે છે. માત્ર, શબ્દોનો જ ફેર છે.
આચાર્યશ્રી અને બીજા તત્ત્વચિંતકોએ રજુ કરેલી “ભક્તિની વ્યાખ્યાનાં અનુસંધાનમાં, “ભક્તિનાં તાત્ત્વિક સ્વરૂપ વિશે ઊંડું ચિંતન કરનાર, “ભક્તિસાહિત્યના બે તજજ્ઞો(Experts)એ આપેલી વ્યાખ્યા પણ, આ સંદર્ભમાં, પ્રસ્તુત (Relevant)બની રહેશે :
(૧) $િ: પરમ પ્રેમસ્વકૂપા | - નારદ
(‘ભક્તિ એટલે પ્રેમનું પરમ સ્વરૂપ') (૨) $િ: ફુકરે રિમાનુ$િ: I - શાંડિલ્ય, (“ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પરમ અનુરાગ).
શ્લોકનો છંદ : અનુપુપ (૩૨-૩૩)
૩૩-૩૪ उक्तसाधनसंपन्नः तत्त्वजिज्ञासुरात्मनः ॥ ३३ ॥
उपसीदेद् गुरुं प्राज्ञं यस्माद् बन्धविमोक्षणम् ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
ઉક્તસાધનસંપન્નઃ તત્ત્વજિજ્ઞાસુરાત્મનઃ | ૩૩ |
ઉપસીદે ગુરુ પ્રાશં યસ્માદ્ બન્ધવિમોક્ષણમ્'
શ્લોકનો ગદ્ય અવય - ૩રુસાધનસંપન્ન: તનિઝામુ: યાત્ વવિમોક્ષ (મવેત્ તું) આત્મિનઃ પ્રાસં ૩પસીત્ II રૂરૂ-રૂક |
શબ્દાર્થ – વેદાન્ત-વિદ્યાના અધિકાર માટે, આ પહેલાંના શ્લોકોમાં દર્શાવવામાં આવેલાં, ચાર “બહિરંગ સાધનો, - વિવેક, વૈરાગ્ય વગેરે - જેણે પૂરેપૂરાં આત્મસાત કર્યા છે, સંપન્ન કર્યા છે, સમજી લીધાં છે, જે એને સંપૂર્ણરીતે પામી ચૂક્યો છે, - એવો અધિકૃત સાધક, તત્ત્વવિજ્ઞાસુ . તત્ત્વ એટલે વેદાન્તવિદ્યા. તેને જાણવાની સંનિષ્ઠ ઇચ્છા ધરાવતો સાધક. તેણે શું કરવું જોઈએ ? માત્મ: હું ૩પસી - પોતાના ગુરુ પાસે પહોંચી જવું જોઈએ. પરંતુ પોતાના', - એટલે કેવા ? એના માટે અહીં બે વિશેષણો આપવામાં આવ્યાં છે : પ્રાસં અને મા વન્ધવિમોક્ષ (મત). આ તો વેદાન્તવિઘા પામવાની વાત છે, એટલે જેવા-તેવા સામાન્ય પ્રકારના ગુરુ ન ચાલે : સૌપ્રથમ તો, ગુરુ “પ્રાજ્ઞ' હોવા જોઈએ. હકીકતમાં, એ ગીતા-ભાખ્યા “સ્થિતપ્રજ્ઞ' હોવા જોઈએ, અને તેથી જ, જેની પાસેથી પોતાને, સંસારનાં બંધનમાંથી મુક્તિ(વિમોક્ષ)ની ખાતરી હોય, એવા. (૩૩-૩૪).
૯૪ | વિવેચૂડામણિ