________________
શ્લોકનો ગદ્ય અન્વય :
अहं नारायणः, अहं नरकान्तकः, अहं पुरान्तकः, अहं पुरुषः, अहं ईशः, । अहं अखण्डबोधः, (अहं) अशेषसाक्षी, अहं निरीश्वरः, अहं निरहं निर्ममः च (મિ) ૪૨૧ શબ્દાર્થ :
હવે જ્યારે શિષ્ય બ્રહ્મ સાથેના સંપૂર્ણ સાયુજયભાવનો અનુભવ કરી રહ્યો છે ત્યારે, આ શ્લોકમાં, અનેક વાર પ્રયોજાયેલો માં - શબ્દ, “બ્રહ્મના અર્થમાં જ સમજવાનો રહે છે. શિષ્ય પોતે તો, પોતાને, બ્રહ્મસ્વરૂપમાં સંપૂર્ણતઃ મલીન થયાની જ અનુભૂતિ કરી રહ્યો છે, તેથી, તેનો કોઈ વ્યક્તિગત મર્દ તો હવે અસ્તિત્વ જ ધરાવતો નથી !
અને તેથી જ, પોતાની આ અનુભૂતિને, તે, પ્રથમ-પુરુષ એકવચનમાં અભિવ્યક્ત કરે છે : મનુષ્યની જીવનયાત્રા, “નરથી નારાયણ” અને “જીવથી શિવ સુધીની હોય છે, - અથવા તો, મુમુક્ષુ સાધક માટે તો, - હોવી જોઈએ; તેથી શિય આજે પોતાની તે યાત્રાની પરાકાષ્ઠાએ, સદ્ગુરુની કૃપાથી, પહોંચી ગયાનો એકરાર અભિવ્યક્ત કરી રહ્યો છે : “હે મુક્તિપ્રદાતા ગુરુદેવ ! આજે હવે હું નથી નર કે નથી જીવ : આજે તો હું પોતે જ “નારાયણ” છું અને સ્વયમેવ હું જ “શિવ” છું ! “ અને પોતાની આ કૃતાર્થતા, તે, “નારાયણ'થી આરંભીને છેક “નિર્મમ” સુધીની, “મદં મિ !” – એવાં સાક્ષાસ્વરૂપે, એકધારી, અણ-અટકી, નિરૂપી રહ્યો છે !
નર”નું સાચી દિશામાં જો “અયન” (રૂ-એટલે “જવું, - એ ધાતુ પરથી બનેલું નામ : “ગમન', 'Going') થાય તો જ, “નર' પોતે “નારાયણ” બની શકે. જીવની ‘શિવ' તરફની યાત્રા પણ એવી જ ! આજે, શિષ્ય, આ બંને યાત્રાઓનાં ઈશ્વરીય અંતિમો(Extremes)ને પ્રાપ્ત કરી લીધાં છે; એટલે પછી, “નરકાસુરને હણી નાખનાર (અસ્ત) “નારાયણ અને ત્રિપુરાસુરને મારનાર (મન્તલ) શિવ’ પણ પોતે જ છે, - એવો દાવો જો શિષ્ય કરે તો, એ એની ગક્તિ નથી, પરંતુ સ્વભાવોક્તિ છે ! અને પોતાના આ નારાયણભાવ અને શિવભાવની સિદ્ધિ પછી, પોતે, હવે, પુરુષ છે, “ઈશ” છે, અખંડ-જ્ઞાનસ્વરૂપ, સર્વનો સાક્ષી (ગશેષ સાક્ષી) છે, “મારા પોતાના પર હવે કોઈની સત્તા નથી” (નિરીશ્વર), એટલે ઈશ્વર હોવા છતાં હું હવે નિરીશ્વર છું! અને મારા, અત્યારસુધીના સર્વ “અહંભાવ” અને “મમભાવ” પૂરેપૂરા પ્રણષ્ટ થઈ ગયા હોવાથી, હું હવે સાચા અર્થમાં (Literally), નિરાં અને
વિવેકચૂડામણિ | ૯૮૧ .