________________
- પરિપૂર્ણ, જરાયે અપૂર્ણતા-અધૂરપ વિનાનો; (ઈ) અદ્વિતીયમ્ । દ્વિતીય એટલે બીજું’; ‘બીજાં’-વિનાનો, અનન્ય, અજોડ, એક જ; (ઉ) શુદ્ધમ્ । વિશુદ્ધ, નિર્મળ, પવિત્ર.
હું તો આવું (ઉપર પ્રમાણે પાંચ વિશેષણ ધરાવતું) પર-બ્રહ્મ જ છું. (૪૯૩)
અનુવાદ :
હું ‘આ' નથી; હું ‘તે' (પણ) નથી; પરંતુ હું તો (‘આ’ અને તે’) બંનેનું પ્રકાશક, ‘બહાર' અને ‘અંદર’ એવા કશા ભેદ વિનાનું, પરિપૂર્ણ, અદ્વિતીય, શુદ્ધ પર-બ્રહ્મ જ છું. (૪૩)
ટિપ્પણ :
શ્લોકમાં, શિષ્ય પોતાના વિશે, એટલે કે “હું” વિશે, બે વિધાનો કરે છે : એક, નકારાત્મક (Negative), એટલે કે “હું” શું નથી, તે. અને બીજું, હકારાત્મક (Positive), એટલે કે “હું” શું છું, તે.
વમ્ એટલે ‘આ’, - એટલે કે મારી સામે, સમક્ષ, રહેલું બધું, જે મને દેખાય
પ્રત્યક્ષ.
છે તે,
-
અવ: એટલે “તે”, - એટલે કે જે મારી સમક્ષ નથી, જે મને સીધેસીધું (Directly) દેખાતું નથી તે, - પરોક્ષ.
આ તો પરસ્પર-વિરોધી, અટપટું, અવળવાણી જેવું વિધાન કહેવાય ! જે ‘આ’ ન હોય, તે ‘તે’ તો હોવું જ જોઈએ અને જે ‘તે’ ન હોય તે `‘આ’ તો હોવું જ જોઈએ ! – બેમાંથી એક તો હોવું જ જોઈએને ! શિષ્ય તો, ઘસી-ભૂંસીને, ચોખ્ખું ને ચટ્ટ જણાવી દે છે કે “ના, હું તો ‘આ’ પણ નથી, અને ‘તે' પણ નથી, - બેમાંથી એકેય નથી !”
એ વળી કેવી રીતે ?
આવી રીતે : “આ પહેલાં, હું જ્યારે અવિદ્યાને કારણે મારી જાતને ‘આ’(This) સમજતો હતો તે, હવે, એટલા માટે નથી, કે મારી તે અવિઘા હવે નાશ પામી છે. અને હવે જ્યારે હે ગુરુદેવ ! આપની કૃપાથી, આત્મવિદ્યા પ્રાપ્ત થતાં, હું આત્મરૂપ, બ્રહ્મસ્વરૂપ જ બની ગયો છું - ત્યારે મારે મન કોઈ “તે”(That) પણ રહેતું નથી ! હવે તો “હું” પોતે માત્ર “હું” જ, “હું(અહમ્”- સ્વરૂપે જ, રહું છું ! - વ્યાકરણશાસ્ત્રનો ફક્ત પહેલો પુરુષ એકવચન ! અવિદ્યા અને વિદ્યા, - તે બંને, - અંતે તો, - મારી બુદ્ધિનાં જ બે પાસાં હતાં ! હવે જ્યારે બ્રહ્મસ્વરૂપે જ મારી પોતાની અનુભૂતિ હું કરી રહ્યો છું ત્યારે, મારે, વળી, બુદ્ધિ કેવી ને વાત ૯૭૮ / વિવેકચૂડામણિ