________________
જેવા ‘આલતુ-ફાલતુ આનંદો' તો, તેને માટે રહેતા જ નથી !
“મારી ભીતર, બ્રહ્મની બધી ક્રિયાઓ સતત ચાલી રહી છે, પરંતુ ‘મારી’ કોઈ પણ ક્રિયા મારે હવે રહી નથી ! અને હવે હું એવો ‘શુદ્ધ-જ્ઞાન-સ્વરૂપ’ બની ગયો છું કે જેમાં માત્ર જ્ઞાન છે, કોઈ વસ્તુ કે પદાર્થ એ જ્ઞાનમાં નથી ! અને આ જ સાચું ચિત્સ્વરૂપ !
“મારાંમાં હવે ક્યાંય-કશુંય અનેકત્વ રહ્યું જ નથી, કારણ કે હું પોતે જ ‘માત્ર -એક’, ‘કેવલ’ અને કૈવલ્ય-સ્વરૂપ બની ગયો છું !
અને આ કૈવલ્ય' એટલે જ સદા-શિવ-સ્વરૂપ (Auspiciousness incarnate) !''
તેમનાં એક સુપ્રસિદ્ધ સ્તોત્રમાં, આચાર્યશ્રીએ પોતે જ પોતાનાં ચિદાનંદશિવસ્વરૂપની જે અનુભૂતિ અભિવ્યક્ત કરી છે,
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ।
-
એવી જ અનુભૂતિ અહીં તેમણે આ શિષ્યમાં પણ પ્રેરી છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૯૧)
૪૯૨
दृष्टुः श्रोतुर्वक्तुः कर्तुर्भोक्तुर्विभिन्न एवाहम् । नित्यनिरन्तरनिष्क्रियनिःसीमासंगपूर्णबोधात्मा
શ્લોકનો ગુજરાતી પાઠ :
॥४९२॥
દેણુ: શ્રોતુર્વતુઃ કર્યુર્ભોક્તવિભિન્ન એવાહમ્ । નિત્યનિરન્તરનિષ્ક્રિયનિઃસીમાસંગપૂર્ણબોધાત્મા ૫૪૯૨૫
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
તૃ: શ્રોતુ: વત્ત: તું: મોડુ: વિભિન્ન વ અહં નિત્ય-નિરન્તરનિષ્ક્રિય-નિઃસીમ-અસંન-નોધાત્મા (અસ્મિ) I॥૪૬૨ા
શબ્દાર્થ :
અહીં પણ શિષ્ય, પોતાની આ પરિવર્તિત પરિસ્થિતિમાં, પોતે શું છે, શું-સ્વરૂપ છે, કેવો છે, એની અનુભૂતિની અભિવ્યક્તિ, એ જ પદ્ધતિએ, ચાલુ રાખી છે.
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
વિવેચૂડામણિ / ૯૭૫