________________
શ્લોકનો ગદ્ય અન્વય :
अहं अकर्ता, अहं अभोक्ता, अहं अविकारः, अहं अक्रियः, अहं शुद्धबोधस्वरूपः, अहं केवलः सदाशिवः (च अस्मि) ॥४९१॥ શબ્દાર્થ :
અહીં પણ શિષ્યની સંભાષણ-પદ્ધતિ, યથાપૂર્વ, એ જ ચાલુ રહી છે, એટલે શ્લોકમાંના માત્ર શબ્દોને જ સમજાવવાના રહે છે :
મર્તા | કર્તુત્વ કે કર્તાપણાં-વિનાનો; અમોøl | ભોફતૃત્વ કે ભોક્તાપણાં-વિનાનો; વિવાદ | વિકાર-રહિત, વિકારોથી મુક્ત, અવિકારી; જિય: I ક્રિયારહિત, નિષ્ક્રિય, ક્રિયાશૂન્ય, ક્રિયા-વિનાનો; શુદ્ધોધસ્વરૂપ: I શુદ્ધ-જ્ઞાન-સ્વરૂપ;
વત્ત: | કેવળ એક, અદ્વિતીય;
સાશિવઃ | સદા શિવ-સ્વરૂપ. (૪૯૧) અનુવાદ :
હું અકર્તા છું, હું અભોક્તા છું, હું વિકાર-રહિત છું, હું ક્રિયા-રહિત છું, હું શુદ્ધ-જ્ઞાન-સ્વરૂપ છું, હું કેવલ-સ્વરૂપ છું, અને હું સદા શિવસ્વરૂપ છું. (૪૯૧) ટિપ્પણ:
“હું-()”નું સતત રટણ કરવા છતાં, એ “હું-(મહમ્ - I)” થી મુક્ત, એટલે કે સંપૂર્ણરીતે અહંભાવશૂન્ય અને બહૈકરૂપ બની ગયેલા વિનમ્રમૂર્તિ એવા આ શિષ્યનાં સાશ્ચર્યાનંદની એ જ અભિવ્યક્તિ, એ જ ભાવવાહી ભાષાશૈલીમાં, અહીં ચાલુ છે અને જ્યાં સુધી એનો આ પ્રમુગ્ધ ભાવાવેશ શમશે નહીં ત્યાં સુધી હજુ પણ ચાલુ રહેશે !
હવે તે “કર્તા કેવી રીતે રહી શકે ? - જ્યાં કર્તત્વવાળું મન જ એને હવે રહ્યું નથી, ત્યાં ! અને એ જ પરિસ્થિતિ છે, એના ભોક્તા હોવાની ! - જ્યાં એને કશી બુદ્ધિ જ રહી નથી, ત્યાં !
મન અને બુદ્ધિ હોય, અને એ બંનેનું કાર્યક્ષેત્ર સક્ષમ હોય, તો જ એની કર્તાભોક્તા હોવાની શક્યતા ! તે પોતે “પોતે” મટીને, હવે તો બ્રહ્મસ્વરૂપ જ બની ગયો છે, ત્યાં પછી મન-બુદ્ધિનું તો કશું અસ્તિત્વ જ કેવી રીતે ટકી શકે ! હવે તો તે પોતે જ “વરૂપાનંદ' બની રહ્યો છે, ત્યાં વિષયાનંદ', દ્વિતાનંદ' કે “ભોગાનંદ'
૭૪ | વિવેકચૂડામણિ