________________
આઘાતના ઊભરાની અચાનક અનુભૂતિ કરે છે ત્યારે, તેવા ભાવોની તેની અભિવ્યક્તિનો પ્રવાહ જેટલો પ્રબળ હોય છે, તેટલો જ પ્રવેગપૂર્ણ હોય છે.
અહીં આપણા પ્રસ્તુત શિષ્યનાં મનની પણ એવી જ પરિસ્થિતિ છે. ગુરુદેવની કૃપાથી બ્રહ્મસાક્ષાત્કારના પરમાનન્દની પ્રાપ્તિ એને લાધી અને એનાં પ્રમુગ્ધ અને સંવેદનશીલ માનસ પર એનો જે પ્રભાવ પડ્યો, તેના પ્રતિભાવોનો ઉદ્રક પણ કૈક આવો જ સ્વત:પ્રવર્તિત(Spontaneous), અણથંભ્યો અને અવિરત હતો. પોતાનાં જીવનની કૃતાર્થતા અને ગુરુદેવ પ્રત્યેની કૃતજ્ઞતા વગેરે ભાવો વ્યક્ત કરતી પોતાની વેગીલી વાગ્ધારાનાં તાનમાં, તે પોતે જ એવો અભાન અને અનવધાન બની ગયો કે તેણે આ એક શ્લોકમાં “હું-(ગરમ)' - શબ્દ છ વાર પુનરુક્ત કર્યો, - એનો એને પોતાને જ કશો ખ્યાલ ન રહ્યો !
અને તેનાં મનની પ્રવર્તમાન લાક્ષણિક પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો, તેનું આવું વલણ-વર્ણન તદ્દન સ્વાભાવિક છે, એટલું જ નહીં પરંતુ “હું-()” - શબ્દ વારંવાર પ્રયોજવા છતાં પણ, એની નમ્રતા એટલી જ સ્પષ્ટ અને પારદર્શક વરતાતી રહે છે !.
આત્મપદની પ્રાપ્તિ પછી (શ્લોક-૪૮૮), હવે તે, આનજ્યની પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરે છે : તેની સમગ્ર દૃષ્ટિમાં જ હવે એક જબરું પરિવર્તન આવી ગયું છે. પરમાત્માને પામ્યા પછી, જીવાત્મા, હવે, પોતાના આ પરમોચ્ચ આનંદ(Ecstasy)ને અભિવ્યક્ત કરે છે ત્યારે, તેનું વ્યક્તિત્વ-તંત્ર સંપૂર્ણરીતે અનિયત થઈ ગયું છે, જેને માનસશાસ્ત્રીય પરિભાષામાં 'Abnormal' કે 'Subnormal' જ કહી શકાય ! આવો માણસ જ પોતાની જાતને, સ્કૂલ-સૂક્ષ્મ શરીર-વિનાનો (અનન્ત: અને તિજ) કહી શકે ને !
શ્લોકનો છંદ : અનુષુપ (૪૦)
૪૯૧
अकर्ताऽहमभोक्ताऽहमविकारोऽहमक्रियः । - शुद्धबोधस्वरूपोऽहं केवलोऽहं सदाशिवः ॥४९१॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અકર્તાડહમભોક્તાહહમવિકારોડહમક્રિયઃ | શુદ્ધબોધ સ્વરૂપોડહં કેવલોડહં સદાશિવઃ II૪૯૧il.
વિવેકચૂડામણિ | ૯૭૩