________________
જે કાંઈ જોવાલાયક (દૃષ્ટવ્ય), સાંભળવા લાયક (કોતવ્ય) અને જાણવા લાયક (જ્ઞાતવ્ય) હતું, તે સઘળું, કૃપાનિધિ-દયાસિંધુ-કરુણામૂર્તિ એવા પોતાના સદ્ગુરુની ઉદારતા અને એમનાં આભિજાત્યના પ્રતાપે, શિષ્ય પામી ચૂક્યો છે; અને આજે તો હવે તે સઘળું જ દવ્ય-શ્રોતવ્ય-જ્ઞાતવ્ય પોતાની સામે જ છે, તો પછી, તે બધું તેને, દર્શન-શ્રવણ-જ્ઞાન, એવાં જૂદાં-જુદાં સ્વરૂપે, પ્રતીત થઈ જ કેવી રીતે શકે !
બધું જ બ્રહ્મમય, એટલે કે “હું”-મય બની ગયું છે !
આ તો આત્મસ્વરૂપમાં નિષ્ઠા, પરબ્રહ્મમાં ચિત્તની સમાધિ અને પરમ-આનંદની સર્વોચ્ચ સ્થિતિ, – એ સઘળું એકરૂપ બનીને તેની સામે આવ્યું, અને તે સઘળાંએ તેને પણ તેમનામાં જ સમાવી લીધો !
પછી તો, સ્વાનુભવાત્મક એનો એકરાર સાચો જ છે કે “હું તો હવે હંમેશ માટે પોતાના જ આનંદ-સ્વરૂપે સૌથી વિલક્ષણ બની ગયો છું !”
શ્લોકનો છંદ : અનુરુપ (૪૮૬)
૪૮૦ नमो नमस्ते गुरवे महात्मने
विमुक्तसंगाय सदुत्तमाय । नित्याद्वयानन्दरसस्वरूपिणे
भूम्ने सदापारदयाम्बुधाम्ने ॥४८७॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
નમો નમસ્તે ગુરવે મહાત્મને
વિમુકતસંગાય સદુત્તમાય | નિત્યાયાનન્દરસસ્વરૂપિણે
ભૂખે સદાપારદયાલ્બધાને ૪૮ll શ્લોકનો ગદ્ય અન્વય :
विमुक्तसंगाय सद्-उत्तमाय नित्य-अद्वय-आनन्दरस-स्वरूपिणे भूम्ने सदाअपार-दया-अम्बुधाम्ने महात्मने ते गुरवे नमः नमः ॥४८७॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : તે ગુરવે નમ: નમ: | તેવા હે ગુરુદેવ ! આપને વારંવાર નમસ્કાર હોજો ! ગુરુદેવ કેવા છે ? – આ પ્રમાણે છ વિશેષણો :
વિવેકચૂડામણિ | ૯૬૫