________________
(Positively) કહેવામાં આવી હતી. તે જ અહીં નકારાત્મક રીતે (Negatively) સમજાવવામાં આવી છે. આમાં કશી પુનરુક્તિ નથી, પણ પ્રસ્તુત મુદ્દાનાં મહત્ત્વને ભારપૂર્વક રજુ કરવાનો આચાર્યશ્રીનો આશય છે.
કોઈક બહુ મોટું દુ:ખ, અચાનક, આવી પડે, ત્યારે સામાન્ય સંસારીનાં મનમાં વૈરાગ્યનો ભાવ માનવસહજ નિર્બળતાનાં પરિણામે ઉદ્ભવે છે, પરંતુ મોટે ભાગે આવો ભાવ ટૂંકજીવી અને શ્મશાન-વૈરાગ્ય જેવો જ નીવડે છે. એવું જ, મોક્ષ મેળવવાની ઇચ્છાની બાબતમાં પણ બનતું હોય છે. એ બંનેના પાયામાં, અંતઃકરણનાં ઊંડાણમાંથી ઉદ્ભવતી ઉત્કટતા અને સબળ-વિચારશીલતા નથી હોતી. પરિણામ શું અને કેવું આવે? શમ-દમ વગેરેની ત્યાં શક્યતા કેટલી ? આ સમજાવવા માટે, આચાર્યશ્રીએ, અહીં એક સુંદર ઉપમા પ્રયોજી છે : ‘રણ' એટલે ‘રણ’ (Desert) ! ત્યાં પાણીનું ટીપુંયે હોતું નથી, તેથી જ તેને ‘રણ' કહેવામાં આવ્યું છે. વૈશાખ-જેઠ મહિનાના પ્રખર તાપમાં, ક્યારેક, દૂરથી, ત્યાં પાણી છે એવું લાગે તો પણ એ માત્ર આભાસ જ હોય, ખરેખર જળ જેવું કશું જ ન હોય, એ તો માત્ર મૃગજળ ! ઝાંઝવાનાં જળ ! હરણાં બિચારાં ત્યાં જઈને માથું પટકે તો પણ એમની તરસ ન જ છીપે ! તરફડીને તરસ્યાં જ મરી જવાનું !
બસ, એવું જ, વૈરાગ્ય-મુમુક્ષાની મંદતાવાળા સાધકની બાબતમાં સમજી લેવાનું : એમના શમ-દમ વગેરે છ ગુણો માત્ર દેખાવનાં જ ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૧) ૩૨-૩૩
मोक्षकारणसामग्र्यां भक्तिरेव गरीयसी । સ્વ-સ્વરૂપાનુસન્ધાનું મહિત્યિમિથીયતે॥ ૩૨ ॥ स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगुः । શ્લોકનો ગુજરાતી પાઠ :
મોક્ષકારણસામટ્યાં ભક્તિરેવ ગરીયસી । સ્વ-સ્વરૂપાનુસન્ધાનં ભક્તિરિત્યભિધીયતે ॥ ૩૨ ॥ સ્વાત્મતત્ત્વાનુસન્ધાનં ભક્તિરિત્યપરે જગુઃ ।
શ્લોકનો ગદ્ય અન્વય :- મોક્ષારસામાં મત્તિ: વ ગરીયસી । સ્વस्वरूपानुसन्धानं भक्तिः इति अभिधीयते । स्वात्मतत्त्वानुसन्धानं भक्तिः (इति तु ) અરે (તત્ત્વચિન્તા:) નળુ: || ૩૨-૩૩ ||
શબ્દાર્થ :- મોક્ષારળસામ યાં મોક્ષપ્રાપ્તિનાં સાધનોની સામગ્રીમાં, गरीयसी ચઢિયાતી, વધારે પ્રબળ, દૃઢ, મજબૂત, અભિધીયતે - કહેવાય છે, મનાય છે, ગણાય છે. સ્વસ્વરૂપાનુસંધાન પોતાનાં સ્વરૂપનું, પોતાનાં આત્માનું, આત્માનાં સ્વરૂપનું અનુસંધાન, સ્વાત્મતત્ત્વાનુમાનં - ‘અનુસંધાન’ એટલે ચિંતન૯૨ | વિવેકચૂડામણિ
=