________________
કેટલો સાત્ત્વિક પ્રભાવ, શિષ્યનાં સમગ્ર વ્યક્તિત્વ પર પડ્યો, - તે આપણે, ૪૮૯ ૪૮૧ એ બે શ્લોકોમાં જોયું. આનંદ-અતિરેકની મૂચ્છમાં જ એ તો સરી પડ્યો ! આવી મૂચ્છમાંથી બહાર આવ્યા પછીના અને પેલી પરમાનન્દ-સ્થિતિમાંથી વ્યુત્થાન પામ્યા પછીના, શિષ્યના, આ, સૌપ્રથમ ઉદ્ગાર છે ! અને એનું આવું સંભાષણ તો હજુ છેક શ્લોક-પર૦ સુધી ચાલુ રહેવાનું છે !
અત્યારસુધી એની બુદ્ધિ સ્વસ્થ અને સ્થિર હતી, એટલે તે પૂરેપૂરું વિચારી શકતો હતો અને એનાં પરિણામ-સ્વરૂપ, - “શું ? શા માટે ? શી રીતે ? ક્યારે ?
ક્યાં?' - જેવા અનેક પ્રકારના પ્રશ્નો સદ્દગુરુને તે પૂછી શકતો હતો. પરંતુ હવે ? પેલા પરમાનન્દના પ્રભાવથી, હવે તો, તેનું સઘળું બુદ્ધિતંત્ર જ ખોટવાઈ ગયું છે ! (દ્ધિ વિનષ્ટ )
અને જેવું બુદ્ધિનું, એવું જ એની ક્રિયાશીલતાનું ! બુદ્ધિની સાથોસાથ, . એની પ્રવૃત્તિનો સર્વ સરંજામ પણ જડ અને નિક્ષેતન બની ગયો છે ! (પ્રવૃત્તિ: ત્તિતા ).
વળી, હવે તો પેલા ત્રણેય ગુણોને અતિક્રમીને, તેમનાથી, તે “પર” થઈ ગયો છે, એટલે આવી નિશ્રેતનતા અને નિષ્ક્રિયતા કંઈ તમોગુણને કારણે તો હોઈ શકે જ નહીં ! “સબાહ્યાંતર સર્વત્ર જે બ્રહ્મ વિલસી રહ્યું છે, તે જ, મારી ભીતર પણ છે !” - એવી આત્મપ્રતીતિ અને સ્વાનુભૂતિનું જ આ તો સુ-પરિણામ !
હવે તો એને પ્રત્યક્ષ' શું ને “પરોક્ષ' શું? – આવા બધા ભેદોના સીમાડાઓ જ, એના માટે, ભૂંસાઈ ગયા છે ! એની વિચારશક્તિ જ સદંતર જ્યાં કુંઠિત થઈ ગઈ છે, ત્યાં પછી નામ-રૂપ અને દેશ-કાલ-વસ્તુ-પરિચ્છેદનું તો ક્યાંય અસ્તિત્વ જ શાનું રહે !
એમ કહેવાય છે કે નિર્વિકલ્પ સમાધિ-અવસ્થામાં જ્ઞાતા-જોય-જ્ઞાનના સર્વ ભેદો ભૂંસાઈ જાય છે, અને બચે છે માત્ર બ્રાહ્મીસ્થિતિનો પરમ-આનંદ ! અને એ સુખ તો અતીન્દ્રિય, અપાર, અંગાધ, શબ્દાતીત, વાગુ-અગોચર ! એ સુખ એટલે શું? કેવું? કેટલું? શાથી? - કોણ જાણી શકે ? કહી શકે ? (fવા ચિત્ વા સુષમજ્યારમ્ ?)
એટલે, આ શિષ્ય તો, પોતાનાં પેલાં આનંદ-સમાધિનાં આસન પરથી ઊઠે છે, – નાચતી-કૂદતો અને એ જ આનંદ-ઘેલછામાં, જીભ પર જે કંઈ શબ્દો આવી ચડે છે, એના આધારે, એનાં મુખમાંથી આવા ઉદ્ગારો સરી પડે છે !
શ્લોકનો છંદ ઉપજાતિ (૪૮૨)
૯૫૬ | વિવેકચૂડામણિ