________________
‘પરોક્ષ' (Indirect) હતું, તેને પોતાનાં અણુ-અણુમાં આત્મસાત્ કરીને, ચરિતાર્થ (Direct) કરવા લાગ્યો, - અને આવી ‘અપરોક્ષ’-અનુભૂતિનાં પરિણામે તે આત્મસ્વરૂપમાં નિષ્ઠાયુક્ત થયો (આત્મનિષ્ઠિત: અમૂત.
એકંદરે વિચારતાં, ચિત્ એટલે “આચાર્યશ્રીના વિશાળ શિષ્યસમૂહમાંનો કોઈક શિષ્ય”, “ એવું અર્થઘટન કરવાને બદલે, આ ગ્રંથમાં શિષ્ય તો, અગાઉથી નક્કી થયેલો છે, તે જ છે, - એમ સમજીએ, તે, સમગ્ર સંદર્ભની દૃષ્ટિએ, સવિશેષ સયુક્તિક અને પ્રતીતિજનક જણાય છે.
શ્લોકનો છંદ : પુષ્પિતાગ્રા (૪૮૦)
૪૮૧
कंचित् कालं समाधाय परे ब्रह्मणि मानसम् । व्युत्थाय परमानन्दादिदं वचनमब्रवीत् ॥४८१॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
કંચિત્ કાલં સમાધાય પરે બ્રહ્મણિ માનસમ્ । વ્યુત્થાય પરમાનન્દ્રાદિદ વચનમબ્રવીત્ ॥૪૮૧
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
कंचित् कालं परे ब्रह्मणि मानसं समाधाय, परमानन्दात् व्युत्थाय, (सः)
તું વત્તનું અદ્રવીત્ ॥૮॥
શબ્દાર્થ :
.
મુખ્ય વાક્ય : (સ:) વનનું અદ્રવીત્ । તે (શિષ્ય) આ પ્રમાણે બોલ્યો; આવું સંભાષણ તે કરવા લાગ્યો; તેણે આ વચન કહ્યું. આ પહેલાં તેણે શી પ્રક્રિયાઓ આચરણમાં મૂકી ? આ બે : (૧) વિદ્ાાં પરે બ્રહ્મળિ માનસં સમાધાય । માનનું સમાધાય એટલે પોતાનાં મનને સમાધિસ્થ કરીને. ક્યાં સમાધિસ્થ કરીને ? - રે બ્રહ્મળિ । પરબ્રહ્મમાં; એટલે કે માનસિક રીતે, પરબ્રહ્મમાં સમાધિસ્થ બનીને; વિત્ ાનમ્ એટલે કેટલાક સમય સુધી; થોડાક સમય માટે. ત્યારપછી તેણે શું કર્યું ? (૨) પરમાનન્દ્રાર્ વ્યુત્થાય। વ્યુત્થાય (વિ + વ્ + સ્થા એટલે ઊઠવું, ઊભા થવું, - એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) ઊઠીને, ઊભો થઈને. (૪૮૧)
૯૫૨ / વિવેકચૂડામણિ
-