________________
मिथ्यात्वेन निषिद्धेषु कोशेष्वेतेषु पंचसु । सर्वाभावं विना किंचित् न पश्यामि अत्र हे गुरो ।
विज्ञेयं किमु वस्तु-अस्ति स्वात्मना अत्र विपश्चिता ॥ . ગુરુજીએ અત્યાર સુધી નિરૂપેલા પાંચ કોશોના નિષેધના મુદ્દા પરથી જે મુશ્કેલી શિષ્ય સમક્ષ ઉપસ્થિત થઈ, તેનાં નિવારણ અર્થે આચાર્યશ્રીએ, પ્રલંબ પટ પર વિસ્તારપૂર્વક શિષ્યને આત્મીયભાવે જે ઉબોધન કર્યું તે, એકધારું, શ્લોક-૪૭૯ સુધી ચાલુ રહ્યું.
અને, છેલ્લા તે શ્લોકનાં ટિપ્પણમાં આપણે નોંધ કરી તે પ્રમાણે, આચાર્યશ્રીએ, પોતાના આ સમગ્ર વ્યાખ્યાનનું સમાપન કરીને, તેના ઉપસંહાર-રૂપે, સંક્ષેપમાં છતાં સમગ્રતયા, પોતાનાં નિરૂપણનો નિષ્કર્ષ, શિષ્ય સમક્ષ રજૂ કર્યો હતો.
હવે, આચાર્યશ્રીની આ રજૂઆતનો શો અને કેવો પ્રતિભાવ, શિષ્યનાં મનહૃદય પર પડ્યો, તે પોતે, ગ્રંથકાર તરીકે, અહીં વ્યક્ત કરે છે :
આ પ્રતિભાવનાં, ક્રમાનુસાર, ત્રણ, સ્પષ્ટ પાસાં, આ પ્રમાણે, આપમેળે ઉપસી આવે છે : (૧) એક અને સૌપ્રથમ તો એ કે શિષ્યની શંકાઓનાં સમાધાન અર્થે આચાર્યશ્રીએ જે કંઈ કહ્યું, તેનો સીધો પ્રભાવ એ પડ્યો કે શિષ્યને પરમાત્મતત્ત્વ સંપૂર્ણરીતે, સમ્યફ સ્વરૂપમાં અને તત્ત્વતઃ સમજાઈ ગયું (પરં તત્ત્વ વ). પોતાના આદરણીય ગુરુનાં વચનોનો આ હતો સાવ સ્વાભાવિક પ્રતિભાવ-પ્રભાવ ! વળી, આચાર્યનાં સર્વ ઉપદેશ-વચનો શ્રુતિવાક્યો વડે સમર્થિત કરવામાં આવ્યાં હતાં, એટલું જ નહીં પરંતુ શિષ્યનો પોતાનો અંગત સ્વાધ્યાય પણ જેટલો વ્યાપક હતો, તેટલો જ ઊંડો પણ હતો. તેથી તે પોતાના સ્વાનુભવથી સદ્ગુરુનાં આ ઉપદેશ પર સયુક્તિક મનન કરી શક્યો (માત્મયુર્જય). (ર) એવો જ બીજો સચોટ પ્રભાવ એ કે તેની સર્વ ઇન્દ્રિયો પ્રશાંત થઈ ગઈ, એટલે કે શબ્દના સાચા અર્થમાં તે જિતેજિય', બની ગયો, અને આનાં જ પરિણામ-સ્વરૂપ, તેનાં અંતઃકરણમાંના કામ-ક્રોધ વગેરે સર્વ ઉપદ્રવો નાશ પામ્યા, તેનું ચિત્ત સમાહિત બની ગયું, – જેણે પોતાનાં અંતઃકરણને બ્રહ્મની અંદર સમ્ય-સ્વરૂપે સ્થાપી દીધું (સ[–આદિત: બ્રહ્મળિ માત્મા યેન સ: I), - એવો “સમાહિતાત્મા તે થઈ ગયો ! (૩) અને, છેલ્લી ત્રીજી અને સૌથી મહત્ત્વની અસર એનાં સમગ્ર વ્યક્તિત્વ પર એ થઈ કે એનું સબાહ્યાંતર સ્વરૂપ
અચલ' એટલે કે પર્વત જેવું અવિચળ અને અડગ બની ગયું, – એવું નિશ્ચલ અને સ્થિર કે આ ઉપદેશ સાંભળ્યા પછી અને પોતાના પરના આવા પ્રભાવ-પ્રતિભાવ પછી, તે, તરત જ, ક્યાંક (વ ) એકાંત સ્થળે જઈને, સદ્ગુરુના ઉપદેશ પર, શાંતચિત્તે, ઊંડું ચિંતન-મનન કરવા લાગ્યો. પરમાત્મતત્ત્વનું જે જ્ઞાન અત્યારસુધી
વિવેકચૂડામણિ | ૯૫૧