SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ માત્મના | કોઈ પણ વિકલ્પ કે સંશય વગરનો થઈને, નિર્વિકલ્પ ભાવમય બનીને. (૪૭૮) અનુવાદ : પોતાના અનુભવ વડે, પોતે જ, સ્વસ્વરૂપ આત્માને અખંડ સ્વરૂપે જાણીને, સિદ્ધિને પામીને, (સાધકે) નિર્વિકલ્પભાવપૂર્વક, આત્મામાં સુખપૂર્વક સ્થિતિ કરવાની રહે છે. (૪૭૮). ટિપ્પણ : શ્લોક સહેલો છે, શબ્દો પણ સરળ-સુબોધ છે અને ખાસ નવું કશું પ્રતિપાદયિતવ્ય નથી : આ પહેલાં, એક કરતાં વધુ વાર, સાધકને અપાયેલી સૂચના જ, જરા જુદી રીતે, અહીં, પુનરપિ, વ્યક્ત કરવામાં આવી છે. શ્રુતિ-સ્મૃતિ અને શાસ્ત્રો-સંતોનાં મનમાં, સદા સર્વદા, એક જ સદ્ભાવના રહી હોય છે કે સાચો-સંનિષ્ઠ મોક્ષાર્થી સાધક, પોતાના આત્માનું જ્ઞાન અને દર્શન, અખંડાકાર-સ્વરૂપે, સ્વયં-સ્વાનુભવ વડે જ સંપન્ન કરતો રહે, મનોભૂમિ પરના સર્વ સંકલ્પો-વિકલ્પો-સંશયોથી મુક્ત થઈને, પોતાની સાત્ત્વિક જીવન-વિભાવનાને સિદ્ધ કરીને, નિર્વિકલ્પભાવપૂર્વક અને સર્વાંગીણ આનંદમય સ્થિતિને જ અનુભવતો રહે ! પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનો આ જ અલૌકિક ઉપદેશ છે અને સાચા સાધકનું આ જ, એક અને અંતિમ કર્તવ્ય છે. શ્લોકનો છંદ અનુષુપ (૪૭૮) ૪૭૯ वेदान्तसिद्धान्तनिरुक्तिरेषा ब्रह्मैव जीवः सकलं जगच्च । अखंडरूपस्थितिरेव मोक्षो ब्रह्माद्वितीये श्रुतयः प्रमाणम् ॥४७९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વેદાન્તસિદ્ધાન્તનિરુક્તિરેષા બૉવ જીવઃ સકલ જગચ્ચ | અખંડરૂપસ્થિતિરેવ મોક્ષો બ્રહ્માદ્વિતીયે મૃતય પ્રમાણ I૪૭૯તા. ૯૪૬ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy