________________
શ્રુતિની બ્રહ્મ-બોધ-પદ્ધતિને સમજી લેવી પડે : સામવેદનાં મહાવાક્ય તો કહી દીધું કે - તત્ વં સિા (“તે તું છે”), પણ આ શ્રુતિવાક્યનાં મૂળભૂત મર્મને પામવાની તો શબ્દોમાં પણ પહોંચ નથી, એટલે જીવ-બ્રહ્મનાં ઐક્યનું જ્ઞાન તો, શિષ્ય, શબ્દની બીજી શક્તિ-લક્ષણા-નો આશ્રય લઈને, પોતાની સ્વકીય એવી, પ્રજ્ઞા વડે જ પામવાનું રહે. પરંતુ આવું-આટલું કોરું જ્ઞાન પણ મોક્ષની પ્રાપ્તિ માટે અને સંસાર-સાગરને તરવા માટે ઊણું ઊતરે ! પોતાની પ્રજ્ઞા ઈશ્વરના અનુગ્રહ વડે વિશુદ્ધ અને પરિપક્વ બની હોય તો જ, વિદ્વાન-શિષ્ય, અજ્ઞાનનાં બંધનને ઓળંગી શકે !
કોઈકને એવો ખ્યાલ હોવાની શક્યતા ખરી કે આ તો વેદાંત-દર્શન છે અને એમાં તો ઉચ્ચ પ્રકારની પ્રજ્ઞા-મેધાનો જ મહિમા હોય, એમાં વળી ભગવાન અને ભક્તિને સ્થાન કેવું? આવા ભ્રાન્ત ખ્યાલનાં નિવારણ માટે જ, આચાર્યશ્રીએ, પ્રજ્ઞા માટે શ્રીનગૃહીતા એવું વિશેષણ, સહેતુક, પ્રયોજયું છે. વિદાંતવિદ્યામાં પણ શ્રદ્ધાપૂત ભક્તિ એક “સર્વોત્કૃષ્ટ સાધન' છે, એવું પ્રતિપાદન આ ગ્રંથના આરંભમાં જ, આ રીતે કરવામાં આવ્યું છે :
મોક્ષારસમય બm: વ રીયલી I શ્લોક-૩ર (“મોક્ષપ્રાપ્તિનાં સાધનોમાં ભક્તિ જ સર્વોત્તમ છે.”)
એટલું જ નહીં, પરંતુ સાચી પ્રજ્ઞા તો તે જ કે જે, પરબ્રહ્મ અને જીવાત્માનું સંશોધન કરીને ઐક્યભાવને ગ્રહણ કરવાવાળી નિર્વિકલ્પ અને માત્ર ચૈતન્યમય વૃત્તિ (વિન્માત્રી વૃત્તિ.) બની શકે :
ब्रह्मात्मनोः शोधितयोः एकभावावगाहिनी । નિર્વિકલ્પ = વિનાત્રા વૃત્તિઃ પ્રજ્ઞા રૂતિ થ્થત . (શ્લોક-૪૨૦)
અને ત–વં-ગણિI - એ મહાવાક્યમાં પણ, શબ્દની “લક્ષણાશક્તિ વડે, તત્ અને વં એ બે શબ્દોના અર્થનું “શોધન જ કરવાનું છે, જે, પરમાત્માના અનુગ્રહ વડ પરિપુષ્ટ થયેલી, ચિન્માત્રવૃત્તિ બનેલી “પ્રજ્ઞા' જ કરી શકે.
અને ઈશ્વરના અનુગ્રહનું પ્રમાણ તો આ શ્રુતિમંત્ર પોતે જ આપે છે : यं एव एषः वृणुते सः तेन लभ्यः
તી ઉષઃ માત્મા વૃધુ તનૂ સ્વામ્ ‘કઠી-ઉપનિષદ (૧, ૨, ર૩) (“આ આત્મા જેને પસંદ કરે છે, તે-ઈશ્વર-વડે જ તે જાણવા યોગ્ય છે. તેના પ્રતિ આ આત્મા પોતે જ પોતાનું સ્વરૂપ ખુલ્લું કરે છે.”).
અને ઈશ્વરના અનુગ્રહ(Divine Grace)નો લાભ કઈ પ્રજ્ઞા'ને મળી શકે ? ફૅથર - શબ્દનાં મૂળમાં જ ૬ (શાસન કરવું) એ ધાતુ છે, એટલે કૃપા-પ્રદાનની
૯૪૪ | વિવેકચૂડામણિ