________________
(૧) પુરવ: ગોધતિ | ગુરુઓ બોધ આપે છે, ગુરુજનો જ્ઞાન આપે છે, ભણાવે છે. કેવી રીતે બોધ આપે છે ? - તસ્થિતા | તટસ્થ રહીને, નિષ્પક્ષ બનીને, તટસ્થભાવે. કોની જેમ ? – યથા કૃત: ઋતિઓની જેમ, ઉપનિષદોની માફક.
તેથી વિદ્વાને શું કરવું જોઈએ ? - હવે પછીનાં વાક્યમાં સૂચવવામાં આવ્યું છે તેમ :
(ર) (તસ્મા) વિદાન --અનુગૃહીત પ્રીય પર્વ (સંસારસા ) તત્ | - વિદ્વાન (સંસારસા ) તેરેત્ ! વિદ્વાને, એટલે કે વિચારકે, જ્ઞાનીએ સંસારસાગરને તરી જવો જોઈએ, પોતાનાં બંધનને ઓળંગી જવું જોઈએ. તે માટે પ્રયત્ન કરવો. જોઈએ. કેવી રીતે આવી સિદ્ધિ મેળવવી જોઈએ? - પ્રાયા પર્વ | પ્રજ્ઞા વડે, સદ્બુદ્ધિ વડે. કેવી બુદ્ધિ વડે ? ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલી, પરમાત્માના અનુગ્રહથી પરિપકવ બનેલી. (ર્ફર-કનુગૃહીતયા ) (૪૭૭) અનુવાદ :
શ્રુતિઓની જેમ ગુરુઓ (પણ) તટસ્થભાવે જ (શિષ્યોને) બોધ આપે છે; (તેથી) વિદ્વાને ઈશ્વરના અનુગ્રહથી પરિપક્વ બનેલી પોતાની) પ્રજ્ઞા વડે જ સંસારસાગરને) તરી જવાનો હોય છે. (૪૭૭) ટિપ્પણ :
બ્રહ્મનો બોધ આપવાની ગુરુજનોની પદ્ધતિ કેવી હોય છે અને તે જ અનુસંધાનમાં, વિચારક એવા સાધક-શિષ્ય, બંધનમાંથી મુક્તિ મેળવવા માટે, એટલે કે સંસાર-સાગરને તરી જવા માટે, શું કરવું જોઈએ, તે વિશે, આચાર્યશ્રીએ, આ શ્લોકમાં અત્યંત આવશ્યક અને વ્યાવહારિક (Practical) માર્ગદર્શન આપ્યું છે. " ગુરુજનો પોતાના શિષ્યોને બ્રહ્મતત્ત્વ વિશેનો જે બોધ આપે છે, તેમાં, તેની પદ્ધતિ બાબતમાં, તેઓ, શ્રુતિને જ અનુસરે છે, - સંપૂર્ણરીતે તટસ્થ રહીને, એટલે કે એમાં જરા પણ અંગત-વ્યક્તિગત રસ દાખવ્યા વિના કે એમાં પોતે જરાયે સંસક્ત કે લિપ્ત(Involve) થયા વગર, અળગા, નિષ્પક્ષ રહીને, પોતાના શિષ્ય-સમુદાયમાં કોણ પ્રાજ્ઞ છે ને કોણ જડ છે, એવો કશો ભેદ મનમાં વિચાર્યા વિના, - તે વિતરતિઃ ગુણઃ પ્રારો વિદ્યાં ચર્થવ તથા નડે છે. -
(ભવભૂતિ, - ઉત્તરરામચરિત ૨, ૪) (“ગુરુ તો, જેમ પ્રાણને, તેમ જ જડને વિદ્યાનું વિતરણ કરે છે.”). પરંતુ “તરસ્થિતા:” - શબ્દનો માત્ર આટલો જ સંકેત નથી. એ માટે તો,
વિવેકચૂડામણિ | ૯૪૩